‘ઓપરેશન સિંદૂર’ ભારતની જીત, પાકિસ્તાન ભવિષ્યના યુદ્ધ માટે તૈયાર રહેઃ એર ચીફ માર્શલની ચેતવણી

નવી દિલ્હી: અહીંના વાર્ષિક બિઝનેસ સમિટ 2025માં ભાગ લેતા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને સખત ચેતવણી આપી હતી.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ઓપરેશન ભારતની ભવ્ય જીત છે અને તેના માટે દરેક ભારતીયનો આભાર. સંબોધન દરમિયાન તેમણે યુદ્ધમાં ટેક્નોલોજીના વધતા વપરાશ અને ભવિષ્યની તૈયારી અંગે પણ મહત્ત્વની વાત કરી હતી. આ ઉપરાંત તેમણે ફિલ્મી અંદાજમાં પાકિસ્તાનને ચેતવણી આપી દીધી હતી.
આપણ વાંચો: પાકિસ્તાન પર કાર્યવાહી પહેલા વડા પ્રધાન મોદીએ એર ચીફ માર્શલ સાથે કરી મુલાકાત
‘ઓપરેશન સિંદૂર’ ભારતની જીત
એર ચીફ માર્શલ સિંહે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “ઓપરેશન સિંદૂર ભારતની જીત છે અને તેના માટે હું દરેક ભારતીયનો આભારી છું. આ જીતમાં દરેક ભારતીયનો યોગદાન છે, આ ઓપરેશન અત્યંત કુશળતાથી રીતે પાર પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પહેલગામ આતંકી હુમલામાં 26 લોકોના જીવ ગયા હતા, જેનો બદલો ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા લીધો હતો.
આ ઓપરેશન દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકે સ્થિત આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો હતા. પાકિસ્તાની સેનાએ તેના જવાબમાં ભારતીય શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ તેને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાને આ પ્રયાસમાં ડ્રોન અને મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.
આપણ વાંચો: એર ચીફ માર્શલ એપી સિંહે કઈક આ રીતે સંભાળ્યો IAFનો ચાર્જ: જેના થઈ રહ્યા છે ચારે બાજુ વખાણ…
ટેક્નલોજી વિકસાવવા માટે વિચાર આપ્યો
એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે યુદ્ધમાં વધી રહેલા ટેકનોલોજીના પ્રભાવ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ચીફ ઓફ નેવલ સ્ટાફે મને કહ્યું કે યુદ્ધની રીત બદલાઈ રહી છે. આપણે દરરોજ નવી ટેકનિકો શોધી રહ્યા છીએ.
હવે યુદ્ધમાં ટેકનોલોજીની ભૂમિકા મહત્ત્વની બની ગઈ છે. તેમણે ‘ઓપરેશન સિંદૂર’ના મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, આ ઓપરેશને ભવિષ્યમાં શું કરવાનું છે તે અંગે એક સ્પષ્ટ વિચાર આપી દીધો છે. “હજી ઘણું કામ બાકી છે. તેમણે આગળ ઉમેર્યું હતું કે ‘ઓપરેશન સિંદૂરે’ ભારતને તેની ટેકનોલોજીને વધુ વિકસાવવા નવો વિચાર આપ્યો છે.
આપણ વાંચો: પીએમ મોદીનો બેઠકોનો દોર યથાવત્ઃ રાહુલ ગાંધી અને સીજીઆઈ સાથે કરી મહત્ત્વની બેઠક
પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી
એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે પાકિસ્તાનને સીધી ચેતવણી આપતા ફિલ્મી અંદાજમાં કહ્યું, પ્રાણ જાય પર વચન ન જાય. એકવાર જ્યારે હું ખુદથી કોઈ કમિટમેન્ટ કરી લઉં છું તો ખુદની પણ નથી સાંભળતો. આ નિવેદન ભારતના દ્રઢ સંકલ્પ અને સુરક્ષા પ્રત્યેના અડગ વલણને સ્પષ્ટ દર્શાવે છે.