નેશનલ

Cheetah project: સરકાર ચિત્તા પ્રોજેક્ટના બીજા તબક્કાની તૈયારી કરી રહી છે, અધિકારીઓએ આપી જાણકારી

ભારતના ચિત્તા પ્રોજેક્ટને આવતીકાલે 17મી સપ્ટેમ્બરના રોજ એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આ પ્રોજેક્ટ ચાલુ થયા બાદથી જ વિવાદથી ઘેરાયેલો રહ્યો છે, એક બાદ એક 8 ચિત્તાના મોત થયા હતા. એવામાં હવે સરકાર ચિત્તા પ્રોજેક્ટના બીજ્જા તબક્કાનું આયોજન કરી રહી છે. મળતી માહિતી મુજબ જેને ગંભીર ચેપનું જોખમ ન હોય, એવા ચિત્તાને સરકાર આફ્રિકાથી ભારતમાં આયાત કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મ દિવસ નિમિતે તેમણે નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાના જૂથને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં એક વાડામાં મુક્ત કરી ભારતમાં પ્રોજેક્ટ ચિત્તાનું ઉદ્ઘાટન કર્યું હતું. આવતી કાલે પ્રોજેક્ટ ચિતાની પ્રથમ વર્ષગાંઠ ઉજવવામાં આવશે.

પર્યાવરણ મંત્રાલયમાં વન વિભાગના વરિષ્ઠ અધિકારીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટના બીજા વર્ષમાં આ પ્રાણીઓના સંવર્ધન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ચિત્તાઓને પહેરાવવા માટે બનાવેલા રેડિયો કોલરથી કોઈ ચેપ લાગતો નથી. જો કે, અધિકારીઓએ હાલના રેડિયો કોલરને દક્ષિણ આફ્રિકાના નવા કોલર સાથે બદલવાનો નિર્ણય કર્યો છે.
નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના અધિકારીએ જણાવ્યું હતું કે ચિત્તાઓની આગામી બેચ દક્ષિણ આફ્રિકાથી આયાત કરવામાં આવશે અને મધ્યપ્રદેશના ગાંધી સાગર વન્યજીવ અભયારણ્યમાં રાખવામાં આવશે. વર્ષના અંત સુધીમાં ત્યાં ચિત્તાનું આગમન થઇ જશે.

ચિત્તા એક્શન પ્લાનમાં ઉલ્લેખ છે કે કુનોમાં લગભગ 20 ચિત્તાની ક્ષમતા છે. હાલમાં એક બચ્ચા સહિત 15 ચિત્તા છે અને જ્યારે અમે ચિત્તાની આગામી બેચને અન્ય જગ્યાએ રાખવામાં આવશે. મધ્યપ્રદેશમાં આવી બે જગ્યાઓ તૈયાર કરવામાં આવી રહી છે એક ગાંધી સાગર અભયારણ્ય અને બીજું નૌરાદેહી.
અધિકારી કહ્યું, “ગાંધી સાગર વન્યજીવ અભયારણ્યમાં સ્થળ પરની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, મને આશા છે કે તે નવેમ્બર અથવા ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. એકવાર અમને માહિતી મળશે ત્યારે અમે તૈયારીનું તમામ દૃષ્ટિકોણથી મૂલ્યાંકન કરીશું. ડિસેમ્બર પછી અમે ચિત્તા લાવવાનો નિર્ણય લઈશું.’
ચિત્તના મૃત્યુ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ ભેજ અને તાપમાન વાળા વાતાવરણમાં પ્રાણીઓને ખંજવાળ આવે છે, જેના કારણે પ્રાણીઓને ઝાડના થડ અથવા જમીન પર ગરદન ખંજવાળવા માટે મજબૂર થાય છે. જ્યાં માખીઓએ ઈંડા મૂક્યા હોઈ શકે છે પરિણામે બેક્ટેરિયલ ચેપ અને સેપ્ટિસેમિયા થાય છે, જેના કારણે ચિત્તાઓ મૃત્યુ પામ્યા.
અધિકારીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટના પ્રથમ વર્ષની સૌથી નોંધપાત્ર સિદ્ધિઓ પૈકીની એક એ છે કે જંગલમાં દીપડાઓ વચ્ચે જોવા મળતી સફળ કુદરતી શિકારની વર્તણૂક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button