કેન્સર ટ્રેન મુદ્દે કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા, જાણો મહત્ત્વની વાત...

કેન્સર ટ્રેન મુદ્દે કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા, જાણો મહત્ત્વની વાત…

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે કેન્સર ટ્રેનની ખબરો અંગે સૌથી મોટી સ્પષ્ટતા કરી હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર ભારતીય રેલવેએ આ પ્રકારની કોઈ ટ્રેન દોડાવી રહ્યું નથી. સરકાર કેન્સરની સારવાર માટે પણ મહત્ત્વનું કામ કરી રહી છે તેમ જ નાણાકીય સહાય પણ પૂરી પાડી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

ભારતીય રેલવે કેન્સર નામની કોઈ ટ્રેન ચલાવી રહ્યું નથી, એમ કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન પ્રતાપરાવ જાધવે એક સવાલના જવાબમાં ગૃહમાં જણાવ્યું હતું. પ્રતાપરાવ જાધવે કહ્યું હતું કે ભારતીય રેલવે અંતર્ગત દેશમાં કોઈ કેન્સર ટ્રેન નામની કોઈ ટ્રેન દોડાવવામાં આવતી નથી.

પ્રધાને સંસદમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશમાં કેન્સર સંબંધિત દવાઓના નિર્માણ કરવા માટે તૃતીય કેન્સર સંભાળ સુવિધાઓને મજબૂત બનાવવા માટે એક યોજના ચલાવી રહી છે. આ યોજના અન્વયે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્ટેટ કેન્સર ઈન્સ્ટિટ્યૂટ (એસીઆઈ) અને તૃતીય કેન્સર સંભાળ કેન્દ્ર સ્થાપવા માટે નાણાકીય સહાય પણ આપવામાં આવે છે.

રાજ્ય કેન્સર સંસ્થાદીઠ મહત્તમ સહાય રુપિયા 120 કરોડ અને તૃતીય કેન્સર સંભાળ કેન્દ્રદીઠ 45 કરોડ પૂરી પાડે છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ 39 સંસ્થા મંજૂર કરવામાં આવી છે, જેમાં સરકારી મેડિકલ કોલેજ, અમૃતસર, પંજાબ ખાતે એસસીઆઈ અને સિવિલ હોસ્પિટલ, ફાઝિલ્કામાં ટીસીસીસીનો સમાવેશ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button