બિલાવલ ભુટ્ટોની ધમકીનો સી.આર. પાટીલે આપ્યો જવાબ, સિંધુ જળ સંધિને લઈને કરી મોટી વાત

નવી દિલ્હી: પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ અટકાવી દીધી હતી. જેને લઈને પાકિસ્તાન ચિંતામાં મૂકાયું હતું. ભારતના આ નિર્ણયને લઈને પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટોઓ ધમકી પણ આપી હતી. જેનો આજે જળ શક્તિ પ્રધાન સી.આર.પાટીલે જવાબ આપ્યો છે.
બિલાવલ ભુટ્ટોની ધમકી શું હતી?
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલિમાં બિલાવલ ભુટ્ટોએ ભારત સામે ધમકીભર્યો શબ્દો ઉચ્ચાર્યા હતા. બિલાવલ ભુટ્ટોએ જણાવ્યું હતું કે, “જો ભારતે સિંધુ જળ સંધિ અટકાવીને નદીનું પાણી વાળવાનો અથવા તેના પર ડેમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, તો ભારત સામે યુદ્ધ કરવામાં આવશે. અમે અમારા દેશ માટે તમામ છ નદીઓનું પાણી મેળવીશું.”
આ પણ વાંચો: બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ ઝેર ઓકયું, કહ્યું સિંધુ નદીમાં કાં તો આપણું પાણી વહેશે અથવા તેમનું લોહી
બિલાવલ ભુટ્ટોને સી.આર. પાટીલનો જવાબ
જળ શક્તિ પ્રધાન સી.આર.પાટીલે આજે મીડિયાને સંબોધન કર્યું હતું. બિલાવલ ભુટ્ટોની ધમકીને લઈને તેઓને પત્રકાર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, સિંધુ જળ સંધિ અટકાવવા પર પાકિસ્તાને ફરી યુદ્ધ કરવાની વાત કરી છે, આ અંગે તમે શું કહેશો? પત્રકારના આ પ્રશ્નના જવાબમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, “હું એક વાક્યમાં એટલું કહીશ કે પાણી ક્યાંય જશે નહીં. બિલાવલ શું કહે છે, એ એમનો પ્રશ્ન છે. તેમને પોતાને ત્યાં રાજકારણ કરવું છે. એટલે તેઓ કંઈ પણ કહે છે. તેમણે ધમકી પણ આપી હતી કે પાણી નહીં વહે, તો લોહીં વહેશે. આ તમે સાંભળ્યું હશે. આવી ધમકીથી અમે ડરતા નથી. કેટલીક વાતો એના સમય આવવા પર જ સારી લાગે છે. તેથી તેઓને એમના સમય પર જવાબ મળે એ જ સારૂ રહેશે.”
પાકિસ્તાનને કેમ છે સિંધુ નદીના પાણીની જરૂર
પાકિસ્તાનની ખેતી સિંધુ નદીના પાણી પર આધાર રાખે છે. સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીના પાણીનો 80 ટકાથી વધુ ઉપયો સિંચાઈ માટે થાય છે. સિંધુ જળ સંધિના સંપક્ષણ વગર ભારત તેના પ્રવાહને અટકાવી શકી છે અથવા પાણીના સમયને બદલી શકે છે. જેનાથી પાકિસ્તાનમાં ઘઉં, ચોખા, કપાસ અને શેરડી જેવા પાકોના ઉત્પાદનમાં ભારે ઘટ્ટ જોવા મળશે.
આ પણ વાંચો: ભારતે સિંધુ નદી જળ સંધિને સ્થગિત કર્યા બાદ પાકિસ્તાનમાં ફફડાટ, આપવા લાગ્યા પરમાણુ બોમ્બની ધમકી…
ક્યારે થઈ હતી સિંધુ જળ સંધિ?
ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ 1948માં ભારતે પાકિસ્તાન તરફ જતી નદીઓનું પાણી અટકાવી દીધું હતું. તેથી પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં તેનો મુદ્દો ઉઠાવ્યો હતો. 13 વર્ષ બાદ 1960માં વિશ્વ બેંકની મધ્યસ્થતાથી ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ થઈ હતી. આ જળ સંધી અનુસાર રાવી, બિયાસ અને સતલુજ નદીનું નિયંત્રણ ભારત પાસે છે. જ્યારે સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીનું નિયંત્રણ પાકિસ્તાન પાસે છે.