ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુના આરએસપુરા વિસ્તારમાં પાકિસ્તાને કરેલ ગોળીબારમાં BSF નો એક જવાન શહીદ…

જમ્મુ અને કાશ્મીરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામ બાદ પણ તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરીને ભારત પર ડ્રોન હુમલો કર્યો હતો. તારીખ 10મી મે 2025ના રોજ પાકિસ્તાને કરેલા ગોળીબારમાં બીએસએફના જવાન દીપક ચિંગાખમ (Deepak Chingakham) ઘાયલ થયા હતાં. આજે તારીખ 11મી મે 2025ના રોજ તેઓ શહીદ થયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. દેશ તેમની આ વીરગતિને યાદ રાખશે.

કોન્સ્ટેબલ દીપક ચિંગાખમ દેશની રક્ષા કરતા શહીદ થયા
બીએસએફે એક્સ પર પોસ્ટ કરીને વિગતો આપતા લખ્યું કે, ‘ડીજી બીએસએફ અને તમામ રેન્ક કોન્સ્ટેબલ દીપક ચિંગાખમ દ્વારા ફરજ બજાવતા આપેલા સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે. 10 મે 2025 ના રોજ જમ્મુના આર એસ પુરા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં તેઓ ઘાયલ થયા હતા. આજે 11 મે 2025 ના રોજ તેઓ શહીદ થયા છે. આ મુશ્કેલ સમયમાં પ્રહરી પરિવાર શોકગ્રસ્ત પરિવાર સાથે મજબૂત રીતે ઉભો છે’.

ગઈ કાલે BSF સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ શહીદ થયા હતા
જમ્મુ જિલ્લાના આરએસ પુરા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ક્રોસ બોર્ડર ગઈ કાલે થયેલા ગોળીબાર દરમિયાન રાષ્ટ્રની સેવામાં બહાદુર બીએસએફ સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ પણ શહીદ થયા હતા. સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝે બહાદુરીથી સેનાનું નેતૃત્વ કર્યું અને સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. ભારતીય સેનાના જવાનો આપેલા બલિદાનોને દેશ હંમેશા સુવર્ણ અક્ષરે લખીને યાદ રાખશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button