કેરળમાં બ્રિટીશ ફાઈટર જેટનું ઈમરજન્સી લેન્ડિંગ: શું છે મામલો? IAFએ કરી સ્પષ્ટતા!

તિરુવનંતપુરમ: ગઈ કાલે શનિવાર સાંજે કેરળના તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બ્રિટિશ નેવીના F-35 ફાઇટર જેટે ઈમરજન્સી લેન્ડીંગ (British Jet landing in Keral) કર્યું હતું.
અહેવાલ મુજબ અરબ સાગરમાં એક એરક્રાફ્ટ કેરિયર પરથી ટેક ઓફ કર્યા બાદ ફાઇટર જેટમાં ફ્યુલ ખૂબ ઓછું થઇ જતાં, આ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હાલ આ જેટને એરપોર્ટ પર જ રાખવામાં આવ્યું છે. ભારતીય વાયુસેના (IAF) આ ઘટનાની તપાસ કરી રહી છે, IAF નિવેદન આપ્યું છે.
આપણ વાંચો: વાયુ સેનાના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા જામનગરના ચંગા ગામ નજીક ઈમરજન્સી લેન્ડીંગ કરાયું
સેફટીના કારણોસર આ મદદ કરવામાં આવી:
અહેવાલ મુજબ ભારતીય વાયુ સેના પ્રવક્તાએ જણાવ્યું કે “F-35 ડાયવર્ટ થવાની આ ઘટના સામાન્ય છે, જેનાથી IAF સંપૂર્ણપણે વાકેફ છે અને ફ્લાઈટ સેફટીના કારણોસર આ મદદ આપવામાં આવી છે.”
વાયુસેનાના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે તમામ પ્રકારની સહાય આપવામાં આવી રહી છે અને ભારતીય વાયુસેના તમામ એજન્સીઓ સાથે સંકલન કરી રહી છે.
આપણ વાંચો: Bomb threat: વિસ્તારા ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી, મુંબઈ એરપોર્ટ પર ફૂલ સ્કેલ ઈમરજન્સી જાહેર કરાઈ
એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી:
એક અહેવાલ મુજબ, F-35 જેટે શનિવારે ભારતના દરિયાકાંઠેથી લગભગ 100 નોટિકલ માઈલ દૂર બ્રિટિશ એરક્રાફ્ટ કેરિયરથી ટેક ઓફ કર્યું હતું. પાઇલોટે તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ અધિકારીઓ પાસે ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી. જેટે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું.
અધિકારીઓની મંજુરી બાદ ટેક ઓફ થશે:
જેટ સુરક્ષિત રીતે લેન્ડ કરી શકે એ માટે એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. જેટ હાલમાં એરપોર્ટ પર છે અને રિફ્યુઅલિંગ પછી ભારતીય અધિકારીઓની જરૂરી પરવાનગીની રાહ જોવામાં આવી રહી છે.
એક વાર તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી, વિમાન તેના ગંતવ્ય સ્થાન માટે રવાના થશે. એરપોર્ટ અધિકારીએ જણાવ્યુંમ, “જેટ હાલમાં એરપોર્ટ પર છે અને રિફ્યુઅલિંગ પૂર્ણ થઈ ગયું છે. ભારતીય અધિકારીઓની જરૂરી પરવાનગી પછી તેને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવશે.”
F-35 લાઈટનિંગ II જેટ અમેરિકાની કંપની લોકહીડ માર્ટિન દ્વારા બનવવામાં આવે છે. યુનાઇટેડ કિંગડમ સહિત મુખ્ય નાટોના સભ્ય દેશો આ ફાઈટર જેટનો ઉપયોગ કરે છે. આ જેટ વૈશ્વિક સ્તરે અદ્યતન ફાઇટર જેટમાંનું એક છે.