ટોપ ન્યૂઝનેશનલ

યુપીના હાથરસમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડઃ અનેકનાં મોત

હાથરસઃ

હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાંથી એક દુખદ સમાચાર જાણવા મળી રહ્યા છે. એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ભક્તોની ભાગદોડને કારણે 27 લોકોનાં મોત થયા છે, એમ સત્તાવાર અધિકારીએ જણાવ્યું હતું.

હાથરસ સ્થિત ભોલેનાથ બાબાના સત્સંગમાં ભાગદોડને કારણે મોટી હોનારત સર્જાઈ છે, જેમાં 23 મહિલાનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 27 મૃતદેહ મળ્યા છે, જેમાં મૃતકમાં પુરુષ, મહિલાઓને બાળકોનો સમાવેશ થાય છે. સૌથી વધુ મહિલાઓ છે, જ્યારે ત્રણ બાળકનો પણ સમાવેશ થાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

મૃતકની સંખ્યામાં વધારો થઈ શકે છે. ધાર્મિક કાર્યક્રમમાં આવેલા સેંકડો લોકો ગરમીને કારણે બેભાન થઈ ગયા હતા. હાથરસ સ્થિત ફુલરાઈ ગામમાં ભોલે બાબાના સત્સંગના કાર્યક્રમમાં અચાનક ભાગદોડ થઈ હતી, જેમાં અનેક શ્રદ્ધાળુઓના મોત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થયો છે.

આ મુદ્દે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથે નોંધ લીધી છે તેમ જ મૃતકો અને ઘાયલ લોકો અંગે સંવેદના વ્યક્ત કરી છે. આદિત્યનાથ યોગીએ તમામ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવાનો આદેશ આપ્યો છે.

મુખ્ય પ્રધાન કચેરી (સીએમઓ)ના રિપોર્ટમાં જણાવ્યા મુજબ એટાના સીએમઓના ઉમેશ કુમાર ત્રિપાઠીએ કહ્યું કે પોસ્ટ મોર્ટમ હાઉસમાં અત્યાર સુધીમાં 27 મૃતદેહ આવ્યા છે. પ્રાથમિક અહેવાલ અનુસાર ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભાગદોડનું કારણ જવાબદાર છે. હાથરસના સત્સંગના કાર્યક્રમમની તપાસ એડીજી આગ્રા અને અલીગઢના કમિશનરને સોંપવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના ચીફ સેક્રેટરી અને ડીજીપી ઘટનાસ્થળે પહોંચ્યા છે.



Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો