નેશનલ

પેપર લીક પર વિપક્ષના હંગામા વચ્ચે ભાજપ સાંસદ સુંધાશુ ત્રિવેદીની ધુંઆંધાર બેટિંગ

શુક્રવારે સંસદના બંને ગૃહોમાં NEET-UG પરીક્ષામાં પેપર લીકના આરોપો સહિત વિવિધ મુદ્દાઓ પર ઉગ્ર હંગામો ચાલુ રહ્યો હતો. લોકસભાની કાર્યવાહી સોમવાર બપોરે 12 વાગ્યાથી જ સોમવાર પર સ્થગિત કરવામાં આવી હતી. જો કે, રાજ્યસભામાં એક રસપ્રદ ચર્ચા પણ થઈ હતી.

ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ કરતાં સુધાંશુ ત્રિવેદીએ વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ ત્રણ ચૂંટણી બાદ પણ ત્રણ આંકડા સુધી પહોંચી શકી નથી. છતાં પણ ભારે ખુશ છે. આ પાછળની માનસિકતા એ છે કે જે બાળક સામાન્યપણે નાપાસ થતું હોય, તે ક્યારેક જો ત્રીજા ડિવિઝન સાથે પણ પાસ થાય તો તે ખૂબ જ ખુશ થાય છે.

સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, ‘જે લોકો ત્રીજા પ્રયાસમાં પણ 100 સીટ સુધી ના પહોંચી શક્યા, તેઓ ફટાકડા ફોડી રહ્યા હતા. તેનું કારણ એ હતું કે જે બાળક સતત નાપાસ થતું રહે છે, તે ગ્રેસ માર્ક્સ સાથે પાસ થાય છે, તો પણ તે ખૂબ જ આનંદ અનુભવે છે.

જ્યારે ડિસ્ટિંક્શન મેળવનારને ફર્સ્ટ ડિવિઝન મળે તો પણ તે હંમેશા દુઃખી રહે છે. એક કિસ્સો સંભળાવતા તેમણે કહ્યું કે પહેલાના સમયમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ… બહુ જાણીતા હતા અને તે રોમન અંકોમાં લખવામાં આવતું હતું.

એકવાર મારા વિસ્તારમાં, એક બાળક ફર્સ્ટ ક્લાસમાં અને બીજું થર્ડ ક્લાસમાં પાસ થયું. જે પ્રથમ વિભાગમાં પાસ થયો તે નાખુશ હતો કારણ કે તે મેરિટની અપેક્ષા રાખતો હતો. થર્ડ ક્લાસ લાવનાર બાળક ખૂબ જ ખુશ હતો.

લોકોએ તેને પૂછ્યું કે તું કેમ બહુ ખુશ છે. તેના પર થર્ડ ક્લાસ લાવનાર બાળકે કહ્યું કે તે પણ ફર્સ્ટ ક્લાસ લાવ્યો છું અને મને તેની સાથે બે બોડીગાર્ડ પણ મળી આવ્યા છે. (રોમન નંબરમાં ત્રણ લાઇન હોય છે, જેને બાળકે ફર્સ્ટ ક્લાસ અને બે બોડીગાર્ડ ગણાવ્યા) બીજેપી સાંસદે જણાવ્યું હતું કે કોંગ્રેસ છેલ્લા 40 વર્ષથી 240 સીટો મેળવી શકી નથી. ચૂંટણીમાં માત્ર નરસિંહા રાવને 232 બેઠકો મળી હતી.

તેમના સિવાય 1984 પછી કોઈ નેતાને આટલી બહુમતી મળી નથી. તેમણે મોદી સરકાર ત્રીજી વખત સત્તામાં આવવા અને વિપક્ષના ફરી નિષ્ફળ થવા પર, ઓછી બેઠક મળી હોવા છતાં પણ ઉજવણી કરવા પર કવિ વસીમ બરેલવીની ગઝલની કેટલીક પંક્તિઓ પણ સંભળાવી હતી.

दरिया का सारा नशा उतरता चला गया,
वह डुबाता रहा और मैं उभरता चला गया।
मंज़िल समझ के बैठ गए जिनको चंद लोग,
मैं ऐसे रास्तों से गुज़रता चला गया।

આ સિવાય તેમણે નેહરુ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચેની સરખામણી પર પણ જવાબ આપ્યો. ત્રિવેદીએ કહ્યું કે નેહરુ અને મોદીની સરખામણી ન થઈ શકે.

જ્યારે જવાહરલાલ નહેરુ વખતે જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે પટ્ટાભી સિતારમૈયા સહિત કેટલાક લોકોને કેટલાક મત મળ્યા હતા, પરંતુ મોટા ભાગના મત સરદાર પટેલને ગયા હતા. નેહરુને એક પણ મત નહોતો મળ્યો અને પીએમ મોદી સર્વસંમતિથી પીએમ બન્યા છે.

પીએમ મોદીએ તમામ પક્ષોના લોકોને ભારત રત્ન અને અન્ય પુરસ્કારો આપ્યા પરંતુ નેહરુજીએ તેમની જ પાર્ટીના સરકાર પટેલ અને બાબા સાહેબ આંબેડકરને ભારત રત્ન ન આપ્યો. તેઓ પોતે જ પોતાની સરકાર તરફથી એવોર્ડ લઈને બેઠા. તેથી બંને વચ્ચે કોઈ સરખામણી ન થઈ શકે.

મજરૂહ સુલતાનપુરીએ નેહરુને હિટલર ગણાવતો લેખ લખ્યો તો તેમના પર બે વર્ષનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પરંતુ આજે પીએમ મોદીના ટુકડા કરવાની વાત કરનારાઓ પણ સાંસદ બનીને આવ્યા છે.

સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે કોંગ્રેસના લોકો લોકશાહીની the હત્યાની વાત કરે છે, પરંતુ તેમણે પોતાની સરકારમાં લોકશાહીનું ગળું દબાવી દીધું છે. જ્યારે પણ આ લોકો સત્તામાં આવ્યા ત્યારે લોકશાહી જોખમમાં આવી. તેમના સમયમાં પ્રેસને પણ સ્વતંત્રતા નહોતી. કોંગ્રેસે ઈમરજન્સી લાદીને બંધારણનું ગળું દબાવ્યું હતું.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો