Bihar Hooch Tragedy: બિહારમાં સર્જાયો લઠ્ઠાકાંડ, 6 લોકોના મોત | મુંબઈ સમાચાર

Bihar Hooch Tragedy: બિહારમાં સર્જાયો લઠ્ઠાકાંડ, 6 લોકોના મોત

સિવાન: બિહારમાં(Bihar Hooch Tragedy)ફરી એકવાર શંકાસ્પદ લઠ્ઠાકાંડમાં સારણમાં એક મૃત્યુ અને બે ગંભીર ઈજાઓની પુષ્ટિ થઈ છે. જ્યારે સિવાનમાં મૃત્યુ પામેલા છ લોકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. સીવાનના એક મૃતકના એક ગ્રામીણે કહ્યું છે કે 15 થી16 લોકોના મોત થયા છે. વહીવટીતંત્રની પુષ્ટિ બાદ મૃત્યુઆંક સ્પષ્ટ થશે.

પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી

સારણની ઘટના મશરક પોલીસ સ્ટેશન વિસ્તારના ઈબ્રાહીમપુર ગામમાં બની હતી.જે સિવાન જિલ્લાના ભગવાનપુર હાટ અને સારણ જિલ્લાના મશરક પોલીસ સ્ટેશન વિસ્તારની સરહદ પર છે. મશરક પોલીસ સ્ટેશન વિસ્તારના ઈબ્રાહીમપુર ગામના રહેવાસી લતીફ મિયાંના પુત્ર ઈસ્લામુદ્દીન અન્સારીનું ઝેરી દારૂ પીવાથી મોત થયું હતું. આલમ અંસારીના 29 વર્ષના પુત્ર મુમતાઝ અંસારી અને રિયાઝ અંસારીના 18 વર્ષના પુત્ર શમશાદ અંસારીની સારવાર ચાલી રહી છે. પોલીસ બંને યુવકોની દારૂ મંગાવવા પીવા અને બીમાર પડવા અંગે પૂછપરછ કરી રહી છે.

જિલ્લા વહીવટી તંત્રએ ભેળસેળયુક્ત દારૂનો મુદ્દો સ્વીકાર્યો હતો

સારણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, સારણ જિલ્લાના મસરક પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ભેળસેળયુક્ત દારૂ પીવાના કારણે ઈબ્રાહિમપુર ગામના એક વ્યક્તિનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. અન્ય બે વ્યક્તિઓને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર મશરકના ડોકટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. પોલીસ ટીમ એક વ્યક્તિના શંકાસ્પદ મૃત્યુના સંદર્ભમાં તપાસ કરી રહી છે.

જેમાં પ્રાથમિક સારવાર બાદ મશરક સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબોએ બંને યુવકોને સારી સારવાર માટે છાપરા સ્થિત સદર હોસ્પિટલમાં રીફર કર્યા છે. આ ઉપરાંત નિયમોને અનુસરીને અન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Also Read –

Back to top button