ટોપ ન્યૂઝનેશનલ

Bharat Jodo Nyay Yatra: આજથી કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની શરૂઆત, જાણો સંપૂર્ણ માહિતી

નવી દિલ્હી: કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આજે મકરસંક્રાંતિના દિવસથી શરૂ થવા જઈ રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ આ યાત્રા મણિપુરના થૈબલ જિલ્લાના ખાંગજોમથી શરૂ થશે અને 20 માર્ચે મહારાષ્ટ્રના મુંબઈમાં સમાપ્ત થશે. ઈમ્ફાલમાં આ યાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

66 દિવસ સુધી ચાલનારી આ ભારત જોડો ન્યાય યાત્રા દેશના 15 રાજ્યોમાંથી પસાર થશે. આ યાત્રા પગપાળા અને બસ દ્વારા કરવામાં આવશે. આ દરમિયાન રાહુલ ગાંધી વિવિધ સ્થળોએ રોકાશે અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરશે અને જાહેર સભાઓને સંબોધશે. રાહુલ 67માં દિવસે યાત્રાના સમાપન પર પત્રકાર પરિષદને સંબોધિત કરી શકે છે.


ખાંગજોમ વોર મેમોરિયલ એક ઐતિહાસિક સ્મારક છે, જેનું ઉદ્ઘાટન 2016માં ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કોંગ્રેસ સરકાર દરમિયાન કર્યું હતું. તે 1891માં છેલ્લા એંગ્લો-મણિપુર યુદ્ધના શહીદોની યાદમાં બનાવવામાં આવ્યું છે.


કોંગ્રેસ અનુસાર રાહુલ ગાંધી રવિવારે સવારે 11 વાગ્યે ઇમ્ફાલ પહોંચશે અને ખોંગજોમ વોર મેમોરિયલની મુલાકાત લેશે. આ પછી યાત્રા પહેલા થોબલમાં સભા થશે. આ સમયે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ બીજી ભારત જોડો યાત્રાને લીલી ઝંડી બતાવશે. આ મુલાકાત દરમિયાન ભારત ગઠબંધનના ઘણા નેતાઓ પણ ભાગ લે તેવી શક્યતા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તમામ વિપક્ષી પાર્ટીઓના પ્રમુખોને યાત્રામાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલ્યું છે. આ સિવાય અન્ય ઘણી હસ્તીઓ પણ આ યાત્રામાં ભાગ લેશે.


ભારત જોડો ન્યાય યાત્રા દેશના 15 રાજ્યોમાંથી પસાર થશે. આ યાત્રા 110 જિલ્લાઓ, 100 લોકસભા બેઠકો અને 337 વિધાનસભા બેઠકોને આવરી લેશે. આ સમયગાળા દરમિયાન આ યાત્રા 6713 કિલોમીટરનું અંતર કાપશે. આ યાત્રા મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત થઈને મહારાષ્ટ્રના મુંબઈ પહોંચશે.


યાત્રાના એક દિવસ પહેલા શનિવારે પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે આ યાત્રા એક વૈચારિક લડાઈ છે, આ યાત્રા ધ્રુવીકરણની રાજનીતિ અને સામાજિક, આર્થિક અને રાજકીય અન્યાય સામે શરૂ કરવામાં આવી છે. આ ચૂંટણી યાત્રા નથી પરંતુ રાજકીય પક્ષની વૈચારિક યાત્રા છે. ભારત જોડો યાત્રા નફરત અને હિંસાની રાજનીતિ સામે દેશભરમાં પ્રેમ અને સૌહાર્દની માંગ કરવા માટે હતી. હવે ન્યાય યાત્રા દેશના લોકો માટે ન્યાયની માંગ કરવા માટે છે

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો