ચિન્નાસ્વામી સ્ટેડિયમ નાસભાગ: કર્ણાટક હાઈકોર્ટે લીધી ગંભીર નોંધ, આજે સુનાવણી!

બેંગલુરુ: ગઈકાલે બુધારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ(Chinnaswamy Stadium)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની IPL જીતની ઉજવણીમાં સામેલ થવા ઉમટી પડેલી ભીડમાં મચેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા (Bengaluru stampede) હતાં, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. કર્ણાટક હાઈકોર્ટે આ ઘટના અંગે સુઓમોટો નોંધ લીધી છે, કોર્ટ આજે બપોરે 2.30 વાગ્યે આ મામલાની સુનાવણી કરશે.
કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યપ્રધના ડીકે શિવકુમારે બેંગલુરુની બોરિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલ અને વૈદેહી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોને મળ્યા હતાં.
અહેવાલ મુજબ અનુસાર, આજે સવારે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વી કામેશ્વર રાવ અને ન્યાયાધીશ સીએમ જોશીની બેન્ચ સમક્ષ આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો.
ભાજપે કર્યા સરકાર પર પ્રહાર:
કર્ણાટક ભાજપ પ્રમુખ બી વાય વિજયેન્દ્રએ X પર પોસ્ટ કર્યું, “શિવકુમાર, જ્યારે રમતગમત કરતાં રાજકારણ વધુ મહત્વનું હોય, ચાહકો કરતાં તમારા પરિવારના સેલ્ફી વધુ મહત્વપૂર્ણ હોય, સલામતી કરતાં ઘમંડ વધુ મહત્વનો હોય અને શાસન કરતાં પ્રચાર વધુ મહત્વનો હોય, ત્યારે આ દુર્ઘટના અનિવાર્ય હતી. જ્યારે તમે દાવો કરો છો કે તમને ભારે ભીડની અપેક્ષા નહોતી ત્યારે તમે કોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છો?”
બી વાય વિજયેન્દ્રએ વધુમાં લખ્યું,”આ તમારા અને તમારી સરકાર દ્વારા ફરજમાં બેદરકારીથી ન ગણી શકાય, તમે નિર્દોષ નાગરિકોની સલામતી અને સુખાકારીને બદલે પ્રચાર સ્ટંટ પસંદ કર્યા, તે પણ વિધાન સૌધના પવિત્ર મંચ પર. તમારી સરકારે ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી ક્રાઉડ મેનેજમેન્ટના પાઠ લેવા જોઈએ, ઉત્તર પ્રદેશ સરકારે 50 દિવસમાં વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાંના એક કુંભ મેળાનું સફળતાપૂર્વક આયોજન કર્યું. તમારી સરકાર પર શરમ આવે.”
આ પણ વાંચો….બેંગલૂરુના સત્તાવાળાઓ મુંબઈ, કોલકાતા, અમદાવાદ, ધરમશાલાની ઘટના પરથી કેમ ન શીખ્યા?: બીસીસીઆઇ