નેશનલ

પશ્ચિમ બંગાળ સરકારને 22મી જાન્યુઆરીના રજા જાહેર કરવા ભાજપે કરી ભલામણ

કોલકાતા: ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળના પ્રમુખ સુકાંત મજુમદારે શુક્રવારે CM મમતા બેનર્જીને (Chief Minister Mamata Banerjee) પત્ર લખીને 22 જાન્યુઆરીને રજા તરીકે જાહેર કરવા વિનંતી કરી જેથી લોકો અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહની ઉજવણી કરી શકે. કેન્દ્ર સરકારની સંસ્થાઓ, જાહેર ક્ષેત્રની બેંકો, વીમા કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ અને સમગ્ર દેશમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) 22 જાન્યુઆરીના રોજ અડધા દિવસ માટે બંધ રહેશે. આપને જણાવી દઈએ કે પડોશી આસામ અને ઓડિશા સહિત ઘણા રાજ્યોએ પણ અભિષેક સમારોહ માટે અડધા દિવસની રજા જાહેર કરી છે.

મમતા બેનર્જીને લખેલા પત્રને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરતી વખતે, મજુમદારે પોસ્ટમાં લખ્યું, “મેં અમારા માનનીય મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને અનુરોધ કર્યો છે કે કૃપા કરીને 22 જાન્યુઆરી 2024 ના રોજ શાળામાં રજા જાહેર કરવા પર વિચાર કરો જેથી કરીને પશ્ચિમ બંગાળના યુવાનો અયોધ્યાના રામ મંદિરમાં આયોજિત થનાર જીવન અભિષેક સમારોહનો આનંદ માણી શકે.

તેને પોતાના પત્રમાં જણાવ્યુ કે મુખુયમંત્રીએ અગાઉ પણ વિશેષ પ્રસંગોમાં રાજા જાહેર કરી છે. તેમણે કહ્યું, “અમારું માનવું છે કે અયોધ્યા સ્થિત મંદિરમાં ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિના અભિષેકના અવસર પર રાજ્યના લોકોએ પણ ઉજવણીમાં ભાગ લેવો જોઈએ. અમે તમને આ દિવસને સત્તાવાર રજા જાહેર કરવા વિનંતી કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને શાસક તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી 22 જાન્યુઆરીએ દક્ષિણ કોલકાતામાં હઝરા ક્રોસિંગથી પાર્ક સર્કસ સુધી ‘સદભાવ રેલી’નું નેતૃત્વ કરશે. પાર્ક સર્કસ ખાતે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવશે. સદીઓ જૂના કાલીઘાટ મંદિરમાં પૂજા કર્યા પછી, તે સર્વધર્મ રેલીની શરૂઆત કરશે અને આ દરમિયાન વિવિધ ધર્મોના ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો