નેશનલ

Bangal Bandh હિંસક બન્યું, ભાજપ નેતા પર 6 રાઉન્ડ ફાયરિંગ, એક વ્યક્તિ ઘાયલ

કોલકાતા : કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર રેપ અને મર્ડર કેસને લઈને નબન્ના અભિયાન અંતર્ગત વિરોધ થઈ રહ્યો છે. જેમાં મંગળવારે પશ્ચિમ બંગાળમાં પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાજપે આજે 12 કલાકના બંધનું(Bangal Bandh)આહ્વાન કર્યું છે. ત્યારે બંગાળ બંધ દરમિયાન અનેક સ્થળોએ હિંસા થઈ છે. જેમાં ઘણી જગ્યાએ ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ પણ થઇ છે. ભાટપારામાં ભાજપના નેતા અર્જુન સિંહે આરોપ લગાવ્યો હતો કે ભાટપરામાં ભાજપ નેતા પ્રિયંગુ પાંડેની કાર પર 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબારમાં કારમાં મુસાફરી કરી રહેલા ભાજપ સમર્થકને ઈજા થઈ હતી. ભાજપ સમર્થકનું નામ રવિ સિંહ હોવાનું કહેવાય છે.

કોલકાતામાં સવારથી જ રસ્તાઓ સૂમસામ

ભાજપે આપેલા બંધના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ઘણી જગ્યાએ ભાજપ અને ટીએમસી સમર્થકો વચ્ચે ઘર્ષણના અહેવાલ છે. રાજધાની કોલકાતામાં સવારથી જ રસ્તાઓ પર ઓછી ગતિવિધિ જોવા મળી રહી છે. ખાનગી વાહનોની સંખ્યા પણ ઓછી છે. જોકે બજારો અને દુકાનો પહેલાની જેમ જ ખુલી છે. શાળાઓ અને કોલેજો ખુલી છે પરંતુ મોટાભાગની ખાનગી કચેરીઓમાં કર્મચારીઓની હાજરી ઘણી ઓછી છે કારણ કે તેમને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે.

ટીએમસી અને ભાજપ સમર્થકો વચ્ચે અથડામણ

ભવાનીપુરમાં ભાજપના ધારાસભ્ય અગ્નિમિત્ર પાલે લોકોને હાથ જોડીને વાહનો સાથે ઘરની બહાર ન નીકળવા વિનંતી કરી છે. બંધના સમર્થનમાં ઉત્તર 24 પરગણાના બાણગાંવ સ્ટેશન, દક્ષિણ 24 પરગણાના ગોચરણ સ્ટેશન અને મુર્શિદાબાદ સ્ટેશન પર ભાજપના કાર્યકરોએ પ્રદર્શન કર્યું. ઉત્તર 24 પરગણાના બેરકપોર સ્ટેશન પર જ્યારે ભાજપ સમર્થકો અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા ત્યારે તંગદિલી સર્જાઇ હતી.

હુગલી સ્ટેશન પર લોકલ ટ્રેન રોકી

ભાજપના કાર્યકરોએ હુગલી સ્ટેશન પર લોકલ ટ્રેન રોકી હતી. પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામમાં, ભાજપના કાર્યકરોએ રસ્તા પર વિરોધ પ્રદર્શન કર્યું જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો. કોલકાતાના બગુઆટી વિસ્તારમાં બંધના સમર્થનમાં દુકાનોને બંધ કરવા કહેવામાં આવી રહ્યું છે.

બાંકુરા બસ સ્ટેન્ડ પર વિરોધ પ્રદર્શન

જ્યારે માલદામાં રોડ જામને લઈને તૃણમૂલ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે કાર્યવાહી કરી ટોળાને વિખેરી નાખ્યું હતું. બાંકુરા શહેરના બસ સ્ટેન્ડ પર પણ ભાજપના કાર્યકરોએ પ્રદર્શન કર્યું હતું. અલીપુરદ્વારમાં રોડ બ્લોક કરવાને લઈને ભાજપના કાર્યકરોની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ભાજપના કાર્યકરોએ ” એક જ માંગ, મુખ્યમંત્રી રાજીનામું આપે ” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.

Also Read –

Show More

Related Articles

Back to top button
Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે