નેશનલ

Bajrang Puniaનો મોટો આક્ષેપ, જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ભાજપ નેતાના ઇશારે કરાયું

નવી દિલ્હી : રેસલર અને કોંગ્રેસ નેતા બજરંગ પુનિયાએ(Bajrang Punia)જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભાજપના નેતાઓએ જ તેમને ત્યાં વિરોધ કરવાની મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ જ તેમની પાર્ટી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા હતા. તાજેતરમાં પુનિયા અને રેસલર વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાયા છે. વિનેશ ફોગાટ જુલાના સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

બે નેતાઓએ અમને તે જગ્યાએ વિરોધ કરવાની મંજૂરી આપી
જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કોંગ્રેસનું કાવતરું હોવાની વાત પુનિયાએ નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે મારા દાવાઓને સાબિત કરવા માટે સત્તાવાર રેકોર્ડ્સ છે. કુસ્તીબાજોના વિરોધ પાછળ કોંગ્રેસનો હાથ હોવાના આક્ષેપોથી વિપરીત તે ભાજપના નેતાઓ હતા જેઓ તેમના જ પક્ષ વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા હતા. તેમના બે નેતાઓએ અમને તે જગ્યાએ વિરોધ કરવાની મંજૂરી આપી હતી.

વિનેશને જીતાડવી પડશે
ભારતીય રેસલિંગ ફેડરેશનના ભૂતપૂર્વ વડા બ્રિજભૂષણ શરણ સિંહ વિશે તેમણે કહ્યું, હવે જંતર-મંતર પર કુસ્તીબાજો સાથે જે કંઈ થયું તે અમારા માટે મહત્વનું નથી.આ રાજ્ય અને દેશનો એક મોટો ચૂંટણી મુદ્દો છે. કારણ કે આપણા દરેક ઘરમાં બહેનો અને દીકરીઓ છે. ભાજપને બ્રિજભૂષણ શરણને બચાવવાથી તકલીફ પડી રહી છે. પરંતુ જનતા સત્ય જાણે છે. દરેકની નજર ઉંચી કરવા અને અન્યાયનો અવાજ શેરીઓથી લઈને વિધાનસભા સુધી લઈ જવા માટે વિનેશને જીતાડવી પડશે.

બંને ચૂંટણી કેમ ન લડયા ?
પૂનિયાએ કહ્યું કે બંનેએ પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે માત્ર એક જ વ્યક્તિ ચૂંટણી લડશે. તેમણે કહ્યું, ‘અમારા બેમાંથી વિનેશની પસંદગી હતી કારણ કે અમે છોકરીઓ પરના અત્યાચારના મુદ્દે આગળ વધી રહ્યા હતા. જે ચૂપચાપ બધુ સહન કરવા મજબૂર છે. કોંગ્રેસે પુનિયાને અખિલ ભારતીય કિસાન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ પાર્ટી દ્વારા આપવામાં આવેલી જવાબદારીને પૂર્ણપણે નિભાવશે.

Show More

Related Articles

Back to top button
આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી