જાણો કોણ છે ઈન્ડિ ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી? | મુંબઈ સમાચાર
નેશનલ

જાણો કોણ છે ઈન્ડિ ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી?

નવી દિલ્હી: ભારતની ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રાજકીય પક્ષો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહ્યો છે. ઈન્ડિ એલાયન્સે તેલંગાણાના ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે એનડીએએ તમિલનાડુના સીપી રાધાકૃષ્ણનને આગળ કર્યા છે. ત્યારે હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દક્ષિણ ભારતના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની લડાઈ બની ગઈ છે, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવારો

ઈન્ડિ એલાયન્સે ઉપરાષ્ટ્રપતિ પદ માટે બી સુદર્શન રેડ્ડીની પસંદગી કરી છે, જેની જાહેરાત કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કરી હતી. આ નિર્ણય વિપક્ષી પક્ષો સાથેની ચર્ચા બાદ લેવાયો છે, અને આમ આદમી પાર્ટીએ પણ રેડ્ડીને ટેકો આપ્યો છે.

બીજી તરફ, એનડીએએ સીપી રાધાકૃષ્ણનને ઉમેદવાર જાહેર કર્યા છે, જે ઓબીસી સમુદાયમાંથી આવે છે. સરકારે ઉમેદવાર પર સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાટાઘાટો સફળ ન થઈ, જેના પગલે આ રાજકીય સ્પર્ધા ઊભી થઈ છે.

આપણ વાંચો: ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી ભાજપનો માસ્ટર સ્ટ્રોક

કોમ છે બી સુદર્શન રેડ્ડી?

બી સુદર્શન રેડ્ડી 2007થી 2011 સુધી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહ્યા છે. 1946માં જન્મેલા રેડ્ડીએ ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. તેમમે પ્રખ્યાત વકીલ કે પ્રતાપ રેડ્ડી હેઠળ કામ કર્યું હતું.

1988માં તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં સરકારી વકીલ બન્યા, 1993માં વધારાના ન્યાયાધીશ બન્યા અને 2005માં ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થઈ હતી. 2013માં તેમને ગોવાના લોકાયુક્ત તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ભાજપે તમિલનાડુના સીપી રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવીને દક્ષિણ ભારતના રાજકીય સમીકરણોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે ઈન્ડિ એલાયન્સે આનો જવાબ આપવા તેલંગાણાના બી સુદર્શન રેડ્ડીને આગળ કર્યા છે.

રેડ્ડીએ તેલંગાણામાં જાતિ સર્વેક્ષણનું નેતૃત્વ કર્યું હતું, જે કોંગ્રેસના જાતિ ગણતરીના અભિયાન સાથે જોડાયેલું છે. આ ચૂંટણી દક્ષિણ ભારતના રાજકીય પ્રભાવને લઈને મહત્વની મનવામાં આવે છે.

આપણ વાંચો: NDAએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરી! મહારાષ્ટ્રના રાજ્યપાલના નામ પર મહોર મારી

રાજકીય ગણતરીઓ અને વ્યૂહરચના

ઈન્ડિ એલાયન્સે રેડ્ડીની પસંદગી કરીને જાતિ સર્વેક્ષણના મુદ્દાને ચૂંટણીમાં મજબૂત રીતે ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે, જે રાહુલ ગાંધીના અભિયાનનો મુખ્ય ભાગ છે. બીજી તરફ, એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણન ઓબીસી સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે, જે દક્ષિણના મતદારોને આકર્ષવાની વ્યૂહરચના દર્શાવે છે.

સરકારે સર્વસંમતિ માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને વાટાઘાટોની જવાબદારી સોંપી હતી, પરંતુ વિપક્ષ સાથે સહમતિ ન થઈ. આ ચૂંટણી રાજકીય દૃષ્ટિએ દક્ષિણ ભારતના પ્રભાવની લડાઈ બની રહી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button