નેશનલ

આસામમાં બાંગ્લાદેશને અડીને આવેલા વિસ્તારોમાં તણાવ વધ્યો, દેખો ત્યાં ઠારના આદેશ

ગુવાહાટી: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ બાંગ્લાદેશની સરહદે આવેલા ધુબરી જિલ્લામાં સાંપ્રદાયિક તણાવ અટકાવવા માટે ઉપદ્રવીઓને દેખો ત્યાં ઠારના આદેશ આપવામાં આવ્યો છે. તેમજ હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે મંદિરમાં ગૌમાંસ ફેંકવાની ઘટના ક્યારેય ન બનવી જોઈએ. તેમણે કહ્યું કે બાંગ્લાદેશની સરહદે આવેલા ધુબરી જિલ્લામાં રાત્રે જોતાં જ ગોળી મારવાના આદેશો લાગુ કરવામાં આવશે.

આ વિસ્તારમાં તણાવ વધ્યો

હિમંત બિસ્વા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું, “મેં ધુબરીની મુલાકાત લીધી અને અધિકારીઓને મંદિરો અને પવિત્ર સ્થળોને અપવિત્ર કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. રવિવારે ધુબરી શહેરમાં એક મંદિર પાસે માંસના ટુકડા મળી આવ્યા બાદ લોકોએ વિરોધ કર્યો. તેની બાદ આ વિસ્તારમાં તણાવ વધ્યો છે.

ઉપદ્રવીઓ સાથે કડક કાર્યવાહી કરવાના આદેશો

મુખ્યમંત્રીએ શુક્રવારે ધુબરીનો પ્રવાસ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે પથ્થરમારાની ઘટનામાં સામેલ વ્યક્તિની ધરપકડ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે જિલ્લામાં આરએફએ અને સીઆરપીએફના જવાનો તૈનાત કરવામાં આવશે અને ધુબરીના તમામ ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જેમણે કાયદો પોતાના હાથમાં લીધો છે તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નબીન બાંગ્લા’ નામના સંગઠને ઉશ્કેરણીજનક પોસ્ટરો લગાવ્યા

મુખ્યમંત્રીએ કહ્યું કે ધુબરીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છેલ્લા એક અઠવાડિયાથી પડકારજનક રહી છે. તેમણે કહ્યું કે બકરી ઇદના બીજા દિવસે 7 જૂને ધુબરી જિલ્લામાં હનુમાન મંદિરની સામે રમખાણો થયા હતા. એક ગાયનું માથું મળી આવ્યું હતું. જેની બાદ બે સમુદાયના લોકોએ શાંતિ અને સંવાદિતાની અપીલ કરી હતી. જોકે, બીજા દિવસે ફરીથી મંદિરની સામે ગાયનું માથું મૂકવામાં આવ્યું હતું અને રાત્રે પથ્થરમારો થયો હતો. તેમણે કહ્યું કે બકરી ઈદના એક દિવસ પહેલા ‘નબીન બાંગ્લા’ નામના સંગઠને ઉશ્કેરણીજનક પોસ્ટરો લગાવ્યા હતા. જેમાં ધુબરીને બાંગ્લાદેશમાં સમાવવાનો ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ બંગાળથી હજારો પશુઓ લાવવામાં આવ્યા

મુખ્યમંત્રીએ કહ્યું કે ધુબરીમાં અશાંતિ ફેલાવવા માટે એક સાંપ્રદાયિક જૂથ સક્રિય થઈ ગયું છે અને તેની જાણ થયા પછી, હું ધુબરી આવ્યો છું અને રાત્રે જિલ્લામાં જોતાં જ ગોળી મારવાના આદેશો લાગુ રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે પહેલા લોકોનો એક વર્ગ બકરી ઈદ પર ‘ગૌમાંસ’ ખાતો હતો. પરંતુ આ વખતે પશ્ચિમ બંગાળથી હજારો પશુઓ લાવવામાં આવ્યા છે. આ મામલો મારા ધ્યાનમાં આવ્યો છે અને મેં તેની તપાસના આદેશ આપ્યા છે. મેં અધિકારીઓને સૂચના આપી છે કે જેમણે આ પશુ વેપાર શરૂ કર્યો છે તેમની ધરપકડ કરે.

આ પણ વાંચો…પહલગામ હુમલો: આસામમાં ૮૧ ‘દેશવિરોધીઓ’ની ધરપકડ, પાકિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ બદલ કાર્યવાહી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button