નેશનલ

જોધપુર જેલમાં   Asaram ની તબિયત ફરી  લથડી, છાતીમાં દુ:ખાવાની ફરિયાદ સાથે એમ્સમાં દાખલ

જોધપુર : રાજસ્થાનમાં સગીરા સાથે યૌન શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને(Asaram)મોડી રાત્રે જોધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને  છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવ્યા છે. આસારામને ત્રણ દિવસ પહેલા છાતીમાં દુખાવો થયો હતો. જેની બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તપાસ બાદ તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા. ગુરુવારે રાત્રે લગભગ 1:00 વાગ્યે તેમની તબિયત બગડતાં તેમને  દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. આસારામના સ્વાસ્થ્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ એનિમિયાથી પીડિત છે અને તેમનું હિમોગ્લોબિન લેવલ 8.7 છે.

ડૉક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે

તેના પેટમાં આંતરિક રક્તસ્ત્રાવ સહિતની સમસ્યાઓ માટે ડૉક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે. આ ઉપરાંત અનેક પ્રકારની તપાસ પણ કરવામાં આવી રહી છે. આસારામ સંસ્થાના સત્તાવાર હેન્ડલ પરથી લોકોને ભીડ ન કરવા વિનંતી કરવામાં આવી છે જેથી સારવારમાં કોઈ મુશ્કેલી ન પડે.

આ પણ વાંચો : આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને આંચકો, સારવાર માટે મહારાષ્ટ્ર જવાની મંજૂરી નહીં મળી

સુરક્ષાના કારણોસર સારવારની પરવાનગી આપી ન હતી

ઉલ્લેખનીય છે કે, 21 માર્ચે રાજસ્થાન હાઈકોર્ટે યૌન ઉત્પીડનના આરોપમાં સજા કાપી રહેલા આસારામને પોલીસ સુરક્ષા હેઠળ જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં 10 દિવસ સુધી સારવાર કરાવવાની મંજૂરી આપી હતી. જે અંતર્ગત મહારાષ્ટ્રથી આવેલા આયુર્વેદના નિષ્ણાત દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી. જ્યારે આસારામે મહારાષ્ટ્રના ખાપોલીમાં સારવાર માટે અરજી કરી હતી. ત્યારે મહારાષ્ટ્ર પોલીસે સુરક્ષાના કારણોસર સારવારની પરવાનગી આપી ન હતી.

આજીવન કેદની સજા

આસારામને સગીરા સાથે  યૌન શોષણના આરોપમાં જોધપુર કોર્ટમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જે મુજબ આસારામ મૃત્યુ સુધી જેલમાં જ રહેશે. આસારામ વતી જામીન અને પેરોલને લઈને ડઝનબંધ અરજીઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ હાલમાં તેમને ક્યાંયથી કોઈ રાહત મળી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો