ઇન્ટરનેશનલનેશનલ

બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓએ માઝા મૂકી, ’71ના યુદ્ધના સ્મારકોની કરી તોડફોડ

બાંગ્લાદેશની આઝાદી અને 1971ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની શરણાગતિ દર્શાવતી પ્રતિમાને બાંગ્લાદેશના તોફાની તત્વો દ્વારા તોડી નાખવામાં આવી છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આ ઘટનાની તસવીર શેર કરી છે. તેમણે કહ્યું કે, ‘ભારત વિરોધી દુષ્કર્મીઓ’ દ્વારા પ્રતિમાની તોડફોડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશી સંકટઃ પશ્વિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલયની સરહદ પરથી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ 11 સામે કાર્યવાહી

બાંગ્લાદેશ છેલ્લા કેટલાક સમયથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. આ દરમિયાન 400 થી વધુ લોકોના મોત થયા છે. થરૂરે લખ્યું, ‘ભારત વિરોધી બદમાશોએ મુજીબનગરમાં 1971ના શહીદ સ્મારક સંકુલમાં મૂર્તિઓ તોડી નાખી. તેમને આ રીતે જોઈને ખૂબ જ દુઃખ થાય છે. અગાઉ પણ ઘણી જગ્યાએ ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રો, મંદિરો અને હિન્દુઓના ઘરો પર હુમલા થયા છે. આ બધું એવા સમયે પણ થઈ રહ્યું છે જ્યારે અહેવાલો આવી રહ્યા છે કે કેટલાક મુસ્લિમ નાગરિકો અન્ય લઘુમતીઓના ઘરો અને પૂજા સ્થાનોની સુરક્ષા કરી રહ્યા છે.

તેમણે આગળ લખ્યું હતું કે, ‘કેટલાક આંદોલનકારીઓનો એજન્ડા એકદમ સ્પષ્ટ છે. મોહમ્મદ યુનુસ અને તેમની વચગાળાની સરકાર માટે દરેક ધર્મના તમામ બાંગ્લાદેશીઓના હિતમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી પગલાં લેવા જરૂરી છે. અશાંતિના આ સમયમાં ભારત બાંગ્લાદેશના લોકોની સાથે ઉભું છે, પરંતુ આવી અરાજકતા માટે કોઈ માફી ન માંગી શકાય.

આ પણ વાંચો: “બાંગ્લાદેશમાં હિંદુઓનું રક્ષણ નહીં થાય તો રોહિંગ્યા મુસ્લિમોના એ જ હાલ” સાધુ સંતોએ ઉચ્ચારી ચીમકી

1971માં યુદ્ધ બાદ બાંગ્લાદેશને આઝાદી મળી હતી. તે યુદ્ધમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ખાસ વાત એ છે કે આ પ્રતિમામાં પાકિસ્તાનના આત્મસમર્પણને પણ દર્શાવવામાં આવ્યું હતું. તે દરમિયાન સેનાના મેજર જનરલ આમિર અબ્દુલ્લા ખાન નિયાઝીએ પોતાના 93 હજાર સૈનિકો સાથે લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. અરોરા તે સમયે ભારતના ઈસ્ટર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ હતા. ખાસ વાત એ છે કે બીજા વિશ્વયુદ્ધ પછી આ બીજી વખત હતો જ્યારે કોઈ સેનાએ આટલા મોટા પાયે આત્મસમર્પણ કર્યું હતું.

બાંગ્લાદેશમાં આરક્ષણ વિરોધી આગ હિંસાગ્રસ્ત બનતા લોકશાહી ઢબે ચૂંટાયેલા તત્કાલિન વડા પ્રધાન શેખ હસીનાને રાજીનામું આપી દેશ છોડી અન્ય દેશમાં શરણ લેવાની ફરજ પડી હતી. દરમિયાન હિંસાની આગમાં બળતા બાંગ્લાદેશમાં હિંદુઓના ઘરો, મંદિરો, વ્યવસાયો પર હુમલા કરવામાં આવ્યા, તેમની હત્યા કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ