સંસદના વિશેષ સત્ર પહેલા કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક | મુંબઈ સમાચાર

સંસદના વિશેષ સત્ર પહેલા કેન્દ્ર સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક

નવી દિલ્હીઃ સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રથમ દિવસે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી જૂના સંસદ ભવનમાં જ ચાલશે. જો કે નવા સંસદભવનમાં બીજા દિવસે 19 સપ્ટેમ્બરથી કામકાજ શરૂ થશે. દરમિયાન કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ સંસદના વિશેષ સત્રને લઈને 17 સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

કેન્દ્રએ સંસદના વિશેષ સત્રના એક દિવસ પહેલા એટલે કે 17 સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ સર્વપક્ષીય બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે સરકારે હજુ સુધી સંસદના વિશેષ સત્રનો એજન્ડા સ્પષ્ટ કર્યો નથી. સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.

સંસદના વિશેષ સત્રના એજન્ડાની માહિતી ન આપવા બદલ કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે સત્ર શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, પરંતુ કદાચ ‘એક વ્યક્તિ’ સિવાય કોઈને એજન્ડાની માહિતી નથી. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ભૂતકાળમાં યોજાયેલી સંસદની કેટલીક વિશેષ બેઠકોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે અગાઉના સંસદના વિશેષ સત્ર પહેલા તેના એજન્ડા વિશે માહિતી ઉપલબ્ધ હતી.


જોકે, કેન્દ્ર સરકારે સંસદના વિશેષ સત્રનો એજન્ડા જાહેર કર્યો નહીં હોવાથી જેટલા મોઢા એટલી વાત ચાલી રહી છે. લોકો વિવિધ અટકળો લગાવી રહ્યા છે.કોઇ કહે છે વન નેશન વન ઇલેક્શન વિશએ ચર્ચા કરવામાં આવશે, તો કોઇ કહે છએ યુનિફોર્મ સિવિલ કોડ પર ચર્ચા થશે. મહારાષ્ટ્ર કૉંગ્રેસના કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કંઇક અલગ જ દાવો કર્યો છે. નાના પટોલેએ આક્ષેપ કર્યો હતો કે સંસદના આગામી વિશેષ સત્રનો એજન્ડા મુંબઈને રાજ્યથી અલગ કરીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાનો છે.

સંબંધિત લેખો

Back to top button