નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

અમિત શાહ મોટા અધિકારીઓને કરી રહ્યા છે દબાણ : જયરામ રમેશ

દેશમાં લોકસભા ચૂંટણી માટેના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે દેશના તેના પરિણામોની રાહ જોવાઈ રહી છે. આ માહોલની વચ્ચે કોંગ્રેસમાં મહાસચિવ જયરામ રમેશે આરોપ કર્યા હતા કે ગૃહમંત્રી અમિત શાહ સરકારી અધિકારીઓને ધમકાવી રહ્યા છે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ‘વર્તમાન ગૃહમંત્રી આજ સવારથી જિલ્લા કલેક્ટરોની સાથે મોબાઈલ પર વાત કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 150 અધિકારીઓ સાથે વાત કરી ચૂક્યા છે. સરકારી અધિકારીઓને આવી રીતે ખુલ્લી રીતે ધમકાવવાના પ્રયત્નો ખૂબ જ શરમજનક છે અને અસ્વીકાર્ય છે. યાદ રાખજો કે લોકશાહી જનાદેશથી ચાલે છે, ધમકીઓથી નહીં.

આ પણ વાંચો : Election 2024: મીસા ભારતી સામે ચૂંટણી લડી રહેલા ઉમેદવાર પર હુમલો, એકની ધરપકડ

તેમણે એમ પણ કહ્યું હતું કે 4 જૂનના જનાદેશ અનુસાર નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપ સત્તાથી બહાર થઈ જશે અને INDIA વિજયી થશે. અધિકારીઓએ કોઈપણ પ્રકારના દબાણમાં ન આવવું જોઈએ તેમજ સંવિધાનનું રક્ષણ કરવું જોઈએ.

અત્યાર સુધીમાં દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને સાત તબક્કાઓમાં મતદાન થયું હતું. ત્યારબાદ એક્ઝિટ પોલના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં મોટાભાગના એક્ઝિટ પોલના આંકડા અનુસાર ભાજપ અને તેમનું ગઠબંધન બહુ બેઠકો મળે તેવી સંભાવના છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો