અમરનાથ યાત્રાને ભારે વરસાદના પગલે સ્થગિત કરવામાં આવી...

અમરનાથ યાત્રાને ભારે વરસાદના પગલે સ્થગિત કરવામાં આવી…

પહલગામ : જમ્મુ કાશ્મીરમાં પડી રહેલા ભારે વરસાદના પગલે આજે અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. જેમાં પહલગામ અને બાલતાલ શિબિરમાંથી જ યાત્રાને સ્થગિત કરાઈ છે. અમરનાથ યાત્રાના અત્યાર સુધી 3.93 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે.

શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય
આ અંગે કાશ્મીરના વિભાગીય કમિશનર વિજય કુમારે જણાવ્યું હતું કે આજે સવારથી સતત થઈ રહેલા વરસાદના કારને બાલતાલ અને નુનવાન/ ચંદનવાડી બંને માર્ગો પર યાત્રાની મંજુરી આપવામાં નથી આવી શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

યાત્રાળુઓની સંખ્યા ચાર લાખને પાર થવાની ધારણા
તેમજ 29 દિવસની અમરનાથ યાત્રામાં અત્યાર સુધીમાં યાત્રાળુઓની સંખ્યા 3.93 લાખ પર પહોંચી ગઈ છે. અમરનાથ યાત્રા 9 ઓગસ્ટ સુધી ચાલવાની છે. જેના કારણે આ આંકડો ચાર લાખને પાર થવાની ધારણા છે. જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ આ વર્ષે ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી રહ્યા છે. તેમજ આ વર્ષે વહીવટીતંત્ર દ્વારા બંને રુટ પર શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુવિધાઓ પણ કરવામાં આવી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button