નેશનલ

અમરનાથ યાત્રા માટે વિશેષ સુરક્ષા બંદોબસ્ત, યાત્રાળુઓને એકલા યાત્રા કરવાની મંજૂરી નહિ

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ૩ જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે વહીવટીતંત્રે તમામ તૈયારીઓ કરી લીધી છે. જેમાં અમરનાથ યાત્રા પર જતા યાત્રાળુઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે યાત્રાળુઓને એકલા યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેઓ ફક્ત સુરક્ષા કાફલા સાથે જ યાત્રા કરી કરશે. આ અંગે વિભાગીય કમિશનર રમેશ કુમાર અને આઈજીપી બીએસ તુતીએ જણાવ્યું હતું કે અમરનાથ યાત્રા માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે તૈયાર છે. આ દરમિયાન સુરક્ષા અને સુવિધા પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 સંપૂર્ણપણે સુરક્ષા કવચ હેઠળ રહેશે

અમરનાથ યાત્રાની સુરક્ષા માટે આઈજીપી બીએસ તુતીએ જણાવ્યું હતું કે 1 જુલાઈથી ટ્રાફિક પોલીસની ખાસ સલાહ લાગુ કરવામાં આવશે. દરેક યાત્રાળુને સુરક્ષા કાફલા સાથે મુસાફરી કરવી પડશે. સ્વતંત્ર યાત્રાની મંજૂરી આપવામાં આવશે નહીં. લખનપુરથી જમ્મુ સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 સંપૂર્ણપણે સુરક્ષા કવચ હેઠળ રહેશે. આ સાથે અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી દેખરેખ અસરકારક રીતે કરી શકાય. જેમાં યાત્રાળુઓએ નિયમોનું પાલન કરવું પડશે અને એકલા મુસાફરી કરવાનું ટાળવું પડશે.

આ પણ વાંચો: પહલગામ હુમલાની અસર: અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનમાં ૧૦ ટકાનો ઘટાડો

યાત્રીઓની સુરક્ષા માટે ખાસ RFID કાર્ડ

અમરનાથ યાત્રાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યાત્રાળુઓને સ્વાગત કેન્દ્ર પર RFID કાર્ડ આપવામાં આવશે અને રોડ ઓપનિંગ પાર્ટી દરેક યાત્રા વાહનનું નિરીક્ષણ કરશે. વિભાગીય કમિશનર રમેશ કુમારે જણાવ્યું હતું કે આ વખતે અમરનાથ યાત્રામાં ભોજન અને આરોગ્ય સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. પાંચ લાખ શ્રદ્ધાળુઓ માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 50,000 યાત્રાળુઓના રોકાણ માટે 106 કેન્દ્રો ખાસ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં આધુનિક રહેવાની સુવિધાઓ ઉપલબ્ધ છે.

અમરનાથ યાત્રાને રેલ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી

જયારે 30 જૂનથી ભગવતી નગર બેઝ કેમ્પ ખાતે ઓફલાઇન નોંધણીની પ્રક્રિયા શરૂ થશે. આ ઉપરાંત તબીબી પ્રમાણપત્ર ફરજિયાત રહેશે અને RFID કાર્ડ બનાવવા માટે 5 કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. યાત્રાળુઓને 180 સ્થળોએ તૈનાત વહીવટી અને સુરક્ષા ટીમો દ્વારા મદદ કરવામાં આવશે. આ વર્ષે અમરનાથ યાત્રાને રેલ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. તમામ શ્રદ્ધાળુઓએ ફક્ત નિર્ધારિત રોડ રૂટ અને સુરક્ષા કાફલા દ્વારા જ મુસાફરી કરવાની રહેશે.

આ પણ વાંચો: અમરનાથ યાત્રા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા, યાત્રાના સમગ્ર રુટને નો- ફ્લાઇંગ ઝોન જાહેર કરાયો

બુઢા અમરનાથ યાત્રા માટે પણ માર્ગદર્શિકા

આ ઉપરાંત બુઢા અમરનાથ યાત્રા માટે જિલ્લા સ્તરે અલગ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેનું પાલન કરવું ફરજિયાત રહેશે.આ યાત્રા 6 ઓગસ્ટ 2025ના રોજથી શરૂ થશે. જેમાં બુઢા અમરનાથ ચટ્ટાની બાબાની યાત્રા કર્યા વગર બરફીલા બાબા અમરનાથની યાત્રા પુરી માનવામાં નહીં‌ આવતી હોવાની માન્યતા પ્રવર્તે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button