ટોપ ન્યૂઝનેશનલ

અમરનાથ યાત્રામાં સુરક્ષા દળોની 581 કંપનીઓ તૈનાત કરાશે, માત્ર 38 દિવસ ચાલશે યાત્રા

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ સુરક્ષા દળો એલર્ટ મોડમાં છે. તેમજ હિંદુઓ માટે પવિત્ર એવી અમરનાથ યાત્રાને શરૂ થવાના એક મહિના કરતાં ઓછો સમય બાકી છે.

ત્યારે યાત્રા પહેલા કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકાર વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરી રહી છે. તેમજ મળતી માહિતી અનુસાર આ વખતે અમરનાથ યાત્રાનો સમયગાળો ઘટાડવામાં આવ્યો છે.

આપણ વાંચો: જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રાઃ યાત્રાળુઓની સુરક્ષા માટે સરકારે લીધા આ પગલાં

કેન્દ્રીય સુરક્ષા દળોની 581 કંપનીઓ તૈનાત કરાશે

જેમાં આ વખતે અમરનાથ યાત્રા ફક્ત 38 દિવસ ચાલશે. જે પહેલા 52 દિવસ સુધી ચાલતી હતી. આ પહેલી વાર છે જ્યારે અમરનાથ યાત્રાનો સમયગાળો આટલો ઓછો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, આ વર્ષે અમરનાથ યાત્રામાં આવતા યાત્રાળુઓની સુરક્ષા માટે કેન્દ્રીય સુરક્ષા દળોની 581 કંપનીઓ તૈનાત કરવામાં આવશે.

આપણ વાંચો: પહેલગામ આતંકી હુમલા મુદ્દે કોંગ્રેસની બેઠક યોજાઈ, અમરનાથ યાત્રા બાબતે સરકારને કરી ટકોર

રાષ્ટ્રીય ધોરીમાર્ગો થોડા સમય માટે બંધ રહેશે

મીડિયા અહેવાલ મુજબ આ વખતે પહેલી વાર અમરનાથ યાત્રા દરમિયાન, શ્રદ્ધાળુઓના કાફલાની અવરજવરને સુરક્ષિત રાખવા માટે જામર લગાવવામાં આવશે.

આ કાફલાઓને સુરક્ષા દળો દ્વારા એસ્કોર્ટ કરવામાં આવશે. એટલું જ નહીં, જ્યારે અમરનાથ યાત્રાળુઓનો કાફલો પસાર થશે ત્યારે સુરક્ષા કારણોસર યાત્રા રૂટ તરફ જતા તમામ રસ્તાઓ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો થોડા સમય માટે બંધ રહેશે.

આપણ વાંચો: અમરનાથ યાત્રા જવાનું પ્લાન કરી રહ્યા છો? જાણી લો રજિસ્ટ્રેશનની આખી પ્રક્રિયા…

સુરક્ષા માટે રોડ પર ક્વિક એક્શન ટીમો અને ડ્રોન તૈનાત કરાશે

સુરક્ષા માટે રોડ ઓપનિંગ પાર્ટીઓ (ROP),ક્વિક એક્શન ટીમો (QAT),બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને K9 યુનિટ અને ડ્રોન પણ તૈનાત કરવામાં આવશે. આ સુરક્ષા પગલાં અમરનાથ યાત્રાના બંને રૂટ- પહેલગામ અને બાલતાલ રૂટ પર લાગુ કરવામાં આવશે.

પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે કટરા જશે ચેનાબ પુલનું ઉદ્ઘાટન કરશે

આ દરમિયાન શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કટરાથી જમ્મુ અને કાશ્મીરના લોકોને મોટી ભેટ આપવાના છે. પીએમ મોદીના કાર્યક્રમના એક દિવસ પૂર્વે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ રિયાસી પહોંચ્યા અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button