નેશનલ

અલ્હાબાદ હાઈકોર્ટે બાબા રામદેવને આપ્યો ઝટકો! રૂ.273 કરોડની GST નોટીસ સામેની અરજી ફગાવી…

પ્રયાગરાજ: યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ(Patanjali Ayurved) છેલ્લા ઘણા વર્ષોથી એક પછી એક વિવાદને કારણે સતત ચર્ચામાં રહે છે. એવામાં અલ્હાબાદ હાઈ કોર્ટ(Allahabad High court)એ પતંજલિ આયુર્વેદને મોટો ઝટકો આપ્યો છે. કંપની દ્વારા 273.5 કરોડ રૂપિયાની ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) નોટિસ સામે દાખલ કરવામાં આવેલી અરજીને હાઈ કોર્ટે ફગાવી દીધી છે.

પતંજલિ આયુર્વેદની દલીલ હતી કે આવો દંડ ક્રિમીનલ ટ્રાયલ પછી જ લાદવો જોઈએ. અલ્હાબાદ હાઈ કોર્ટની જસ્ટિસ શેખર બી સરાફ અને જસ્ટિસ વિપિન ચંદ્ર દીક્ષિતની બેન્ચે આ દલીલને ફગાવતા આ અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે GST કાયદાની કલમ 122 હેઠળ ટેક્સ ઓફિસર્સ દ્વારા દંડ લાદવામાં આવી શકે છે. આ માટે ક્રિમીનલ કોર્ટમાં કોઈપણ પ્રકારની ટ્રાયલની જરૂર નથી. બેન્ચે સ્પષ્ટપણે કહ્યું કે GST દંડનો મામલો સવિલ કેસ છે. આમાં ક્રિમીનલ ટ્રાયલની કોઈ જરૂર નથી.

હાઈ કોર્ટની બેન્ચે કહ્યું કે વિગતવાર અભ્યાસ પછી, એ સ્પષ્ટ છે કે સંબંધિત અધિકારી સેન્ટ્રલ GST એક્ટની કલમ 122 હેઠળ કાર્યવાહી આગળ વધારી શકે છે. આ માટે કોઈ મુકદ્દમાની જરૂર નથી.

Yappe

શું છે મામલો?
પતંજલિ આયુર્વેદ લિમિટેડના મહારાષ્ટ્રમાં હરિદ્વાર, સોનીપત અને અહમદનગરમાં ત્રણ એકમો છે. જ્યારે અધિકારીઓને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ વિશે ખબર પડી ત્યારે તપાસ શરુ કરવામાં આવી. આ ટ્રાન્ઝેક્શન્સ એવી પેઢીઓ સાથે થયેલા હતાં જેને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેમની પાસે કોઈ આવકવેરા દસ્તાવેજો ન હતાં.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ઇન્ટેલિજન્સે 19 એપ્રિલ, 2014 ના રોજ કારણદર્શક નોટિસ પાઠવી હતી. આ નોટિસમાં 273.5 કરોડ રૂપિયાના દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે, આ પછી, વિભાગે કલમ 74 હેઠળ નોટિસ પાછી ખેંચી લીધી. ત્યાર બાદ વિભાગે શોધી કાઢ્યું કે તમામ કિસ્સામાં, વેચાયેલ જથ્થો હંમેશા સપ્લાયર્સ પાસેથી ખરીદેલા જથ્થા કરતા વધુ હતો. આના પરથી, એવું તારણ કાઢવામાં આવ્યું કે વિવાદિત માલ પર મળેલી બધી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) અરજદાર દ્વારા આગળ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

આ પછી અધિકારીઓએ કલમ 1222 હેઠળ દંડાત્મક કાર્યવાહી ચાલુ કરવાનો નિર્ણય લીધો. પતંજલિએ આને હાઇકોર્ટમાં પડકાર્યો. કંપનીએ દલીલ કરી હતી કે કલમ 122 હેઠળ લાદવામાં આવેલ દંડ ફોજદાર પ્રકૃતિનો છે. ફોજદારી અદાલતમાં ટ્રાયલ બાદ જ દંડ લાદવામાં આવી શકે છે, પતંજલિએ અલ્હાબાદ હાઇકોર્ટનો સંપર્ક કર્યો. હવે હાઈ કોર્ટે પતંજલિની આ અરજી નકારી કાઢી છે.

આપણ વાંચો : Baba Ramdev અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ ચાલશે ક્રિમિનલ કેસ, જાણો સમગ્ર મામલો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button