સોનમ કરતા શાણી ઐશ્વર્યાઃ માતાનાં પ્રેમી સાથે મળી પતિની કરી હત્યાઃ જાણો આખો મામલો

તેલંગાણા: રાજા રઘુવંશીની હત્યા કેસમાંથી ખુબ ચર્ચામાં છે. આ કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. પણ આ ચકચારી સાથે આંશિક રીતે જોડાતી બીજી ઘટનાએ ચર્ચા જગાવી છે. વાત એમ છે કે તેલંગાણામાં આ ઘટનામાંથી બોધ પાઠ લઈ પોતાના પતિને મારી નાખવાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યારે હવે આ કેસની ગુથ્થીને પોલીસે ઉકેલી લીધી છે. આ ઘટનામાં પત્ની ઐશ્વર્યા અને તેના અને તેની માતાના પ્રેમી બેંક મેનેજર વી. તિરુમલા રાવે મળીને તેજેશ્વરની નિર્દય હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે આઠ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ઐશ્વર્યા, તિરુમલા રાવ, તેમના સંબંધીઓ અને ભાડૂતી હત્યારાઓનો સમાવેશ થાય છે.
હત્યાની ઘટનાની વિગત
તેજેશ્વર અને ઐશ્વર્યાના લગ્ન 18 મે, 2025ના રોજ થયા હતા. માત્ર એક મહિના બાદ, 17 જૂનના રોજ તેજેશ્વર કામે જવા નીકળ્યો અને પાછો ન ફર્યો. તેના ભાઈની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજમાં તેજેશ્વર પરિચિતો સાથે કારમાં જતો જોવા મળ્યો. ત્યારબાદ તેનો મૃતદેહ આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લાના પન્યમ નજીક મળી આવ્યો. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં પોલીસે એક એક હત્યાના ષડયંત્રી ગુથ્થી ખોલતા તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
મેનેજરનો માતા અને પુત્રી બંને સાથે અફેર હતો
પોલીસ તપાસમાં ખુલાસો થયો પોલીસે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી, તિરુમાલા રાવ, એક પરિણીત પુરુષ છે જે કુર્નૂલમાં એક હાઉસિંગ ફાઇનાન્સ કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે. તેની ઓફિસમાં કામ કરતી એક મહિલા સફાઈ કામદાર સાથે તેનું અફેર હતું. તેણે મહિલાને હાઉસિંગ લોન મેળવવામાં અને તેની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરી હતી, જેના પગલે તેણે તેની સાથે ગેરકાયદેસર સંબંધ બાંધ્યો હતો. તેણે મહિલાની પુત્રી ઐશ્વર્યા (23) સાથે પણ આવા જ સંબંધ બાંધ્યા હતા અને કથિત રીતે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ ઐશ્વર્યાના લગ્ન તેજેશ્વર સાથે થયા. જે બાદ માતા અને દીકરીએ તિરુમલા સાથે સંબંધ તોડી નાખવા કહ્યું હતું. જે તિરુમલા નો કોન્ટેક થયો આર્થિક તંગીમાં ફસાયેલા કમીશન એજન્ટ કુમ્મરી નાગેશ સાથે. જે રૂપિયાની મદદના બલદામાં તિરુમાલાની સોપારી આપી. 17 જૂનના રોજ નાગેશ અને તેના સાથીઓએ તેજેશ્વરની હત્યા કરી.
મેઘાલય હત્યાકાંડ સાથે જોડાણ
પોલીસે જણાવ્યું કે ઐશ્વર્યા અને તિરુમલા રાવે મેઘાલયના રાજા રઘુવંશી હત્યાકાંડની ચર્ચા કરી હતી અને તેની ભૂલોનું વિશ્લેષણ કર્યું હતું. આ ષડયંત્રમાં તેમણે લદ્દાખ જઈને છુપાઈ જવાની યોજના પણ બનાવી હતી. પોલીસે તિરુમલા રાવે હત્યારાઓને બે લાખ રૂપિયા આપ્યા હોવાનું જણાવ્યું. આ મામલે તપાસ હજુ ચાલુ છે.