નેશનલ

એર ઇન્ડિયાએ ચિંતા વધારી! વધુ એક ડ્રીમલાઇનર વિમાનમાં ખામી સર્જાઈ, હોંગકોંગથી દિલ્હી આવતી હતી ફ્લાઇટ

હોંગકોંગઃ હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયા (Air India Flight)ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એર ઈન્ડિયાની ફ્લાઇટ AI315 (Air India Flight AI315)માં ઉડાન દરમિયાન ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે વિમાનને પાછું હોંગકોંગ જવું પડ્યું હતું. વિમાનનું હોંગકોંગ (Hong Kong)માં સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (Boeing 787-8 Dreamliner) દ્વારા સંચાલિત આ ફ્લાઇટ AI315 (Flight AI315) હોંગકોંગથી દિલ્હી માટે રવાના થઈ હતી.

ફ્લાઇટ AI315 હોંગકોંગથી દિલ્હી માટે રવાના થઈ હતી

હોંગકોંગમાં અત્યારે ટેકનિકલ ટીમો હાલમાં સમસ્યાનું કારણ શોધવા માટે વિમાનની તપાસ કરી રહી છે. આ પહેલા હૈદરાબાદ જઈ રહેલા લુફ્થાંસાના એક વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળતી લેન્ડિંગ ક્લિયરન્સ ન મળવાને કારણે વિમાનને યુ-ટર્ન લેવો પડ્યો અને જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ (Frankfurt Airport) પર પાછા ફરવું પડ્યું. ફ્લાઇટ LH752 (Flight LH752) ફ્રેન્કફર્ટથી રવાના થઈ હતી અને સોમવારે સવારે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Rajiv Gandhi international Airport) પર પહોંચવાની હતી. જોકે, વિમાન અધવચ્ચે જ પાછું ફર્યું હતું.

એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતા 270 લોકોના મોત થયાં

એર ઈન્ડિયાના વિમાન સાથે અમદાવાદમાં દુર્ઘટના બની હતી. પ્લેન ક્રેશ થતા અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે બાદ આ ફરી એર ઇન્ડિંયાના વિમાનમાં ખામી સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમામ ક્રેશ થતા 270 લોકોના મોત થયાં છે. જેના કારણે અત્યારે લોકો એર ઇન્ડિયા પ્રત્યે રોષ ઠાલવી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ ઘણા લોકોએ સુરક્ષા પ્રોટોકોલમાં સંપૂર્ણ ફેરફાર અને મેનેજમેન્ટ પાસેથી વધુ જવાબદારીની માંગણી પણ કરી છે.

આપણ વાંચો:  મુંદરા શહેરના ભંગારવાડામાં વિકરાળ આગ ભભૂકી ઉઠી

એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તેની તપાસ કરવામાં આવશે

અમદાવાદ વિમાન ક્રેશની દુર્ઘટના બાદ સરકારે આની તપાસ કરવા માટે એક હાઈલેવલની પેનલ બનાવી છે. આ સાથે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અને સ્વતંત્ર એવિએશન સેફ્ટી નિષ્ણાતોના વરિષ્ઠ અધિકારીઓની બનેલી તપાસ સમિતિ અકસ્માત માટે સંભવિત ટેકનિકલ નિષ્ફળતાઓ, જાળવણી રેકોર્ડ અને ક્રૂ કાર્યવાહીની તપાસ કરશે. અમદાવાદમાં શા કારણે પ્લેન ક્રેશ થયું તેનું કારણ જાણી શકાશે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button