નેશનલ

AAP એ Sanjay Singh ને આપી મોટી જવાબદારી, રાજ્ય સભામાં સંસદીય દળના નેતા બનાવ્યા

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીએ(AAP)તેના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય સિંહને(Sanjay Singh) રાજ્યસભામાં AAP સંસદીય પક્ષના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા બાદ પાર્ટીની જવાબદારી પણ સંજય સિંહ પાસે છે. તેવો પક્ષના મુદ્દાઓને ઉઠાવી રહ્યા છે.

સંસદીય સમિતિઓ વચ્ચેના સંપર્ક તરીકે પણ કાર્ય

સંસદીય પક્ષના અધ્યક્ષની પ્રાથમિક જવાબદારીઓમાંની એક સાંસદોની ટીમનું નેતૃત્વ અને સંચાલન કરવાની છે. જેમાં પક્ષના નેતૃત્વ અને ધારાસભ્યો વચ્ચે વાતચીતની સુવિધાનો પણ સમાવેશ થાય છે. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે પાર્ટીના ઉદ્દેશ્યો અને વ્યૂહરચના અંગે દરેક એકમત છે. સંસદીય પક્ષના અધ્યક્ષ પક્ષ અને અન્ય રાજકીય પક્ષો, સરકારી અધિકારીઓ અને સંસદીય સમિતિઓ વચ્ચેના સંપર્ક તરીકે પણ કાર્ય કરે છે.

કેજરીવાલની ધરપકડનો મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો

હાલમાં જ સંસદના વિશેષ સત્ર દરમિયાન તેમણે અરવિંદ કેજરીવાલની ધરપકડના મામલામાં તપાસ એજન્સીઓની કાર્યવાહીને લઈને રાજ્યસભામાં સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરે છે અને રાજકીય વિરોધીઓને જેલમાં રાખવાના એકમાત્ર કારણસર મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?