ટોપ ન્યૂઝનેશનલ

પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, કહ્યું કટોકટી કાળ કોઇ પણ ભારતીય ક્યારેય નહિ ભૂલે…

નવી દિલ્હી : ભારતના પૂર્વ વડા પ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીએ 25 જૂન 1975ના રોજ દેશમાં લાદેલી કટોકટીના આજે 50 વર્ષ પૂર્ણ થયા છે. જેના પગલે આજે ભાજપ તેને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે યાદ કરશે. તેમજ દિલ્હીમાં આજે કાર્યક્રમનું આયોજન પણ કર્યું છે. ભાજપે આજના દિવસને સ્વતંત્રતાના ઇતિહાસનો એક કાળો અધ્યાય ગણાવ્યો છે. જ્યારે કટોકટીના દિવસોને યાદ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.

કોઈ પણ ભારતીય ક્યારેય ભૂલી શકશે નહીં
પીએમ મોદીએ એક્સ પર અનેટ ટ્વિટ કરીને કટોકટી કાળને યાદ કર્યો છે. તેમણે લખ્યું છે કે, કોઈ પણ ભારતીય ક્યારેય ભૂલી શકશે નહીં કે આપણા બંધારણની ભાવનાનું ઉલ્લંઘન કેવી રીતે કરવામાં આવ્યું.સંસદનો અવાજ દબાવવામાં આવ્યો અને અદાલતોને નિયંત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા. તેમાં પણ 42મો સુધારો તેમની ધૂર્તતાનું ઉત્તમ ઉદાહરણ છે. ગરીબો, હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને દલિત લોકોને ખાસ કરીને નિશાન બનાવવામાં આવ્યા. જેમાં તેમના ગૌરવનું અપમાન પણ કરવામાં આવ્યું.

કટોકટી વિરુદ્ધની લડાઈમાં અડગ રહેલા દરેક વ્યક્તિને નમન
પીએમ મોદી લખ્યું છે કે, કટોકટી વિરુદ્ધની લડાઈમાં અડગ રહેલા દરેક વ્યક્તિને અમે નમન કરીએ છીએ. આ બધા ભારતના દરેક ક્ષેત્રના વિવિધ વિચારધારાઓના લોકો હતા જેમણે એક જ ઉદ્દેશ્ય સાથે એકબીજા સાથે નજીકથી કામ કર્યું. ભારતના લોકશાહી માળખાનું રક્ષણ કરવા અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જે આદર્શો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું તેનું જતન કરવું. તેમના સામૂહિક સંઘર્ષે જ સુનિશ્ચિત કર્યું કે તત્કાલીન કોંગ્રેસ સરકારને લોકશાહી પુનઃસ્થાપિત કરવી પડી અને નવી ચૂંટણીઓ યોજવી પડી. જેમાં કોંગ્રેસ ખરાબ રીતે હારી ગઇ.

ગરીબો અને દલિત લોકોના સપનાઓને પૂર્ણ કરીએ
પીએમ મોદીએ આગળ જણાવ્યું કે, અમે બંધારણના સિદ્ધાંતોને મજબૂત કરવા અને વિકસિત ભારતના આપણા વિઝનને સાકાર કરવા માટે સાથે મળીને કામ કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કરીએ છીએ. આપણે પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરીએ અને ગરીબો અને દલિત લોકોના સપનાઓને પૂર્ણ કરીએ.

આપણ વાંચો :ભારતને ઇન્દિરા ગાંધીની જરૂર! યુદ્ધ વિરામ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા કેમ થઇ રહી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button