નેશનલ

યુપીના મથુરામાં ખોદકામ દરમિયાન 4થી 5 ઘરો ધરાશાયી! અનેક લોકો ફસાયા હોવાની આશંકા

મથુરા, ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મથુરામાં એક ભયાનક દુર્ઘટના ઘટી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહીં મથુરા (Mathura)માં ખોદકામ દરમિયાન અચાનક માટી સરકવા લાગી અને 4થી 6 મકાનો ધરાશાયી (Mathura House Collapsed) થઈ ગયાં હતા. આ મકાનનો નીચે અનેલ લોકો દટાયા હોવાની આશંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોનું કહેવું છે કે, આમાં નીચે 12થી 15 મજૂરો પણ દટાયા હોવાની આશંકા છે. આ સમગ્ર ઘટનાને મુદ્દે સ્થાનિક તંત્રએ ઘટનાસ્થળ પર પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. કેટલા લોકો ઘાયલ થયા અને કેટલાના મોત થયા તે અંગે હજી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.

NDRF-SDRFની ટીમને પણ બચાવકાર્ય માટે બોલાવવામાં આવી

ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, મથુરા પોલીસ સ્ટેશન ગોવિંદ નગરના અધિકારક્ષેત્ર હેઠળ આવતા કાચા રસ્તા પર અમરીશ ટેકરાનું ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર, કલેક્ટર, ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. બચાવકાર્ય માટે NDRF-SDRFની ટીમને સત્વરે બોલાવવામાં આવી છે. કાટમાળ નીચેથી એક યુવક અને મહિલાને કાઢી તે બન્નેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે.

પોલીસ અને તંત્રના નાક નીચે ચાલી રહ્યું હતું ગેરકાયદે ખોદકામ

ચોંકાવનારી વાત એ પ્રકાશમાં આવી છે કે, પોલીસ અને વહીવટીતંત્રના નાક નીચે અહીં ગેરકાયદે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જે જમીન પર ખોદકામ ચાલી રહ્યું હતું તેના સુનીલ ચેન, રામ અગ્રવાલ, પ્રદીપ શર્મા, રિતેશ સહિત 6 લોકો માલિક છે. પ્લોટ વિભાજીત કરવા માટે જમીન સમતળ કરવા માટે ખોદકામ ચાલી રહ્યું હતું, જેને બુલડોઝરથી સમતળ કરવું પડ્યું હતું, પરંતુ લેન્ડ સ્લાઈડિંગને કારણે અકસ્માત થયો અને ખોદકામનું કામ અટકી ગયું. જેમાં અત્યારે 4થી 6 લોકો દટાયા હોવાની આશંકા છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા આદેશ

મથુરામાં 4થી 6 ઘરો ધરાશાયી થયાની ઘટનાને ગંભીરતાથી લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખાસ નોંધ લીધી છે. તેમણે મથુરા જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા સૂચના આપી છે. તેમણે ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચનાઓ આપી છે. આ ઘટનાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવાી મળી રહ્યો છે. સ્થાનિકોને અત્યારે પોતાના પરિવારની ચિંતા સતાવી રહી છે. જો કે, તંત્ર દ્વારા બચાવ અને રાહતનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો…પોરબંદરમાં રામદેવપીરનો 50 ફૂટ ઊંચો મંડપ ધરાશાયી, એકનું મોત, 16 ઘાયલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button