ટોપ ન્યૂઝનેશનલ

બીએસએફના જવાનોને જર્જરિત ટ્રેન ફાળવવા મુદ્દે કાર્યવાહી, 4 અધિકારી સસપેન્ડ

ઉદયપુર: ઓપરેશન સિંદૂર દરમિયાન આપણે સેનાની ત્રણેય પાંખના જવાનોની બહાદૂરીનો પરિચય મળ્યો છે. ભારતીય સેનાના જવાનો દિવસ-રાત જોયા વગર દેશની રક્ષા કરે છે. દેશની રક્ષાના કામમાં કોઈ અડચણ ન આવે તે માટે સૈનિકોને જરૂરિયાતની તમામ વસ્તુઓ મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ તાજેતરમાં ત્રિપુરાથી અમરનાથ યાત્રા માટે ફરજ પર જઈ રહેલા જવાનો સાથે ભારતીય રેલવે દ્વારા બેદરકારી દાખવવામાં આવી હતી. જેને લઈને સરકાર દ્વારા રેલવેના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી.

બીએસએફના જવાનોને ફાળવાઈ જર્જરિત ટ્રેન

6 જૂન 2025ને શુક્રવારના રોજ બીએસએફના 1200 જવાનો અમરનાથ યાત્રાની ફરજ બજાવવા માટે રવાના થવાના હતા. જેના માટે એક ખાસ ટ્રેન ફાળવવામાં આવી હતી. આ ખાસ ટ્રેન ત્રિપુરીના ઉદયપુર રેલવે સ્ટેશનથી જમ્મુ તાવી સ્ટેશન ખાતે પહોંચવાની હતી. પરંતુ જ્યારે સેનાના જવાનોએ આ ટ્રેનનું પરીક્ષણ કર્યું ત્યારે તેઓને તેમાં કંઈ ખાસ લાગી નહીં. ટ્રેનની દશા જોઈને લાગતું હતું કે તેનો લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. તેની બારી, દરવાજા, વીજ ઉપકરણો તથા શૌચાલય સહિતની તમામ વસ્તુઓ જર્જરિત હાલતમાં હતી. તેથી બીએસએફના જવાનોએ તે ટ્રેનમાં યાત્રા કરવાનો ઇન્કાર કર્યો અને પોતાના ઉપરી અધિકારીઓને તેની જાણ કરી હતી. ત્યારે 4 દિવસ બાદ એટલે કે 10 જૂન 2025ને મંગળવારના રોજ એનઆરએફ ઝોન દ્વારા બીજી ટ્રેન ફાળવવામાં આવી હતી.

રેલવેના ચાર અધિકારીને કરાયા સસપેન્ડ

જોકે જવાનોને 12 જૂનના રોજ ફરજ પર પહોંચવાનું હતું, જેમાં હવે મોડું થશે. ભારતીય સેનાના જવાનો સાથે થયેલી બેદરકારની ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી હતી. જેના ભાગરૂપે અલિપુરદ્વાર મંડળના ચાર અધિકારીઓને સસપેન્ડ કરવામાં આવ્યા હતા. એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપી હતી.

ત્રિપુરાથી જમ્મુની યાત્રા માટે કરી હતી ટ્રેનની માંગ

ત્રિપુરા ફ્રંટિયર બીએસએફની સાત કંપની, ગુવાહાટી ફ્રંટિયરની ત્રણ કંપની અને એમ એન્ડ સી ફ્રંટિયરની ત્રણ કંપનીઓના કૂલ 1200 જવાન એડહોક 12 તથા 13 બટાલિયનના ભાગ તરીકે અમરનાથ યાત્રા 2025ની ફરજ માટે રવાના થવાના હતા. 3 હજાર કિમી કરતા વધુ અંતરની આ યાત્રા સરળતાપૂર્વક પૂરી કરવા જવાનોએ એસી 2 વાળા બે કોચ, એસી 3 વાળા બે કોચ, 16 સ્લીપર કોચ અને 4 જીએસ/એસએલઆરની સુવિધા ધરાવતી ટ્રેનની માંગ કરી હતી.

આ પણ વાંચો…અમરનાથ યાત્રાની સુરક્ષા માટે જતાં બીએસએફ જવાનોને ફાળવાઈ જર્જરિત ટ્રેન, ફરિયાદ બાદ બદલવામાં આવી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button