નેશનલ

પંજાબમાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશઃ ત્રણ મહિનામાં 15,495 દાણચોરોની ધરપકડ

ચંદીગઢઃ પંજાબ પોલીસે તેમના ડ્રગ વિરોધી અભિયાન ‘યુદ્ધ નશિયાં વિરુદ્ધ’ના ત્રણ મહિનામાં ૧૫,૪૯૫ ડ્રગ્સ દાણચોરોની ધરપકડ કરી છે તેમજ ૯,૦૮૭ એફઆઇઆર નોંધવામાં આવી છે, એમ એક અધિકારીએ માહિતી આપી હતી.

પંજાબમાંથી ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું કે આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે બેવડી રણનીતિ અપનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મુખ્ય ડ્રગ્સ સપ્લાયર્સ અને દાણચોરોને ડ્રગ વપરાશકર્તાઓથી અલગ કરીને ડ્રગ નેટવર્કને તોડી પાડવામાં આવશે.

આપણ વાંચો: સુરત સિટી બસમાં ડ્રગ્સનો નશો! યુવકની દાદાગીરીનો વીડિયો વાયરલ, પ્રવાસીઓ ભયભીત

તેમણે જણાવ્યું કે આ સાથે દાણચોરો સામે કડક કાનૂની કાર્યવાહી કરીને તથા વપરાશકર્તાઓને વ્યસન મુક્તિની સારવાર કરાવવા માટે પ્રેરિત કરીને શૂન્ય સહિષ્ણુતાનો સંતુલિત અભિગમ અપનાવવામાં આવ્યો છે.

યાદવે જણાવ્યું કે અમારો ઉદ્દેશ્ય વાસ્તવિક ડ્રગ ડિલરોને અલગ કરીને અને સજા કરીને સપ્લાય ચેઇનને અવરોધિત કરવાનો છે. સાથે જ ડ્રગ વપરાશકર્તાઓને સુધારવા માટે એક કરૂણામય માર્ગ પ્રદાન કરવાનો છે.

આપણ વાંચો: બકરાં ઉછેરને નામે કર્જતના ફાર્મ હાઉસમાં ડ્રગ્સ બનાવવાની ફૅક્ટરી: 24.47 કરોડનું એમડી જપ્ત

ડીજીપીએ ‘યુદ્ધ નશિયાં વિરુદ્ધ’ અભિયાનના પરિણામો રજૂ કરતાં જણાવ્યું કે પોલીસે ૧ માર્ચથી અત્યાર સુધીમાં ૯,૦૮૭ એફઆઇઆર નોંધી છે અને ૧૫,૪૯૫ ડ્રગ દાણચોરોની ધરપકડ કરી છે તેમ જ પોલીસે વ્યસન મુક્તિ કેન્દ્રોમાં ૫,૭૮૬ વ્યસનીઓને સારવારની સુવિધા આપી છે. તેમ જ ૬,૪૮૩ લોકોને આઉટપેશન્ટ ઓપીયોઇડ આસિસ્ટેડ ટ્રીટમેન્ટ ક્લિનિક્સમાં સેવાઓ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button