ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ કાશ્મીરમાં દર્શનાર્થીઓની બસ પર આતંકી હુમલો : 10 લોકોના ઘટનાસ્થળે મોત

નવી દિલ્હી : દેશમાં એક તરફ નવી સરકારના વડાપ્રધાન અને મંત્રીઓ શપથ લઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ જમ્મુ કશ્મીરના રિયાસી જિલ્લામાં દર્શનાર્થીની બસ પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. શિવખોડી ગુફા દર્શન કરવા જઈ રહેલી યાત્રાળુઓની બસ પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો, જો કે ઘટનાની જાણ બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં જાનહાનિ થવાની આશંકા છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રિયાસી જિલ્લાના કંદા વિસ્તારમાં આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. હુમલામાં ડ્રાઇવરને ઇજા પહોંચતા તેનો સ્ટિયરિંગ પરથી કાબૂ હતી ગયો હતો. આથી બસ ખાડીમાં પડી હતી. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે. તો અન્ય કેટલાક લોકો ગોળીબારથી ઘાયલ થયા છે. તો બસના મુસાફરોને બચાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.

આની પહેલા 4 મેના રોજ પણ પૂંછમાં પણ એરફોર્સના જવાનો પર હુમલો થયો હતો. જેમાં એક શહીદ શહિદ થયો હતો, હુમલાના પાંચ સૈનિક ઘાયલ થયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો