
લાલબાગ ચા રાજાના શુક્રવારે યોજાયેલા `મુખદર્શન’ વખતે ભવ્ય મૂર્તિના દર્શન પત્રકારો, ફોટોગ્રાફરો અને ખાસ મહેમાનોને કરાવાયાં હતાં. 19 સપ્ટેમ્બર, મંગળવારના ગણેશચતુર્થી છે અને ત્યારથી દસ દિવસના ગણેશોત્સવનો પ્રારંભ થાય છે. મહારાષ્ટ્ર સહિત દેશભરમાં અનેક સાર્વજનિક સ્થળે તેમ જ ઘરે ગણપતિની પૂરી શ્રદ્ધા સાથે પૂજા કરીને ઉત્સવ ધામધૂમથી ઊજવાય છે. (અમય ખરાડે)