આમચી મુંબઈ

શરદ પવારના પરિવામાં ડબલ સેલિબ્રેશનઃ જય પછી યુગેન્દ્ર પવારે પણ કરી સગાઈ

મુંબઈઃ માત્ર મહારાષ્ટ્ર જ નહીં દેશના રાજકારણમાં મહત્વની ભૂમિકા નિભાવનારા શરદ પવારના પરિવારમાં બે નવા સભ્ય આવી રહ્યા છે. એપ્રિલ મહિનામાં અજિત પવારના પુત્ર જય પવારની સગાઈ ઉદ્યોગપતિ પ્રવિણ પાટીલની દીકરી ઋતુજા પાટીલ સાથે થી હતી અને તેમના લગ્ન નવેમ્બર મહિનામાં થવાની સંભાવના છે ત્યારે હવે અજિત પવારના નાના ભાઈ શ્રીનિવાસ પવારના પુત્ર યુગેન્દ્ર પવારની સગાઈના સમાચાર ખુદ ફઈબા અને સાંસદ સુપ્રિયા સુળેએ સોશિયલ મીડિયા દ્વારા આપ્યા છે. યુગેન્દ્રએ પણ ઉદ્યોગપતિની દીકરી પસંદ કરી છે, જેનું નામ તનિષ્કા કુલકર્ણી છે. સુપ્રિયાએ બન્નેના ફોટા પણ શેર કર્યા છે.

યુગેન્દ્રએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તે તનિષ્કાને કોમન ફ્રેન્ડના ઘરે મળ્યો હતો અને એક વર્ષથી બન્ને ડેટિંગ કરી રહ્યા હતા.

આપણ વાંચો: બારામતીમાં પવાર પરિવારનો વધુ એક જંગ માલેગાંવ સહકારી સાકર કારખાના લિમિટેડ નવું યુદ્ધક્ષેત્ર બન્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે જય અને યુગેન્દ્ર બન્ને સગ્ગા કાકા-બાપાના દીકરા છે, પરંતુ રાજકીય રીતે અલગ અલગ છે. અજિત પવારે 2022માં શરદ પવારની એનસીપીમાંથી છેડો ફાડી પોતાની એનસીપી બનાવી છે અને હાલમાં મહાયુતિની મહારાષ્ટ્ર સરકારનો ભાગ છે જ્યારે યુગેન્દ્ર અજિત પવારના ભાઈ શ્રીનિવાસ પવારનો પુત્ર છે અને તે શરદ પવાર સાથે છે.

બારામતી લોકસભા બેઠક પર સુપ્રિયા સુળે સામે અજિત પવારની પત્ની સુનેત્રા પવાર ઊભાં હતા, પરંતુ યુગેન્દ્રએ સુળેનાં પ્રચારની ધૂરા સંભાળી હતી અને સુનેત્રા હાર્યા હતા.

જોકે રાજકીય રીતે જે હોય તે બન્ને એક જ પરિવાર છે અને નવેમ્બર મહિનામાં બન્નેના લગ્ન થશે તો પરિવારમાં ડબલ સેલિબ્રેશન થશે તે વાત નક્કી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button