આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેમાં OHE માં ટેકનિકલ ખામી: ટ્રેનસેવા પ્રભાવિત…

મુંબઈ: પશ્ચિમ રેલવેમાં પાલઘર રેલવે સ્ટેશન નજીક ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE)માં ખામી સર્જાતા પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેન સાથે લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનની સર્વિસ પર અસર થઈ હતી.

આ અંગે રેલવે અધિકારીએ કહ્યું હતું કે રાતના સાત વાગ્યાના સુમારે પાલઘર રેલવે સ્ટેશન નજીક ઓવરહેડ વાયરમાં ટેકનિકલ ખામી ઊભી થઈ હતી, જેથી વિરારથી પાલઘર અને પાલઘરથી મુંબઈ આવનારી અમુક ટ્રેન રદ કરવામાં આવી હતી. ઉપરાત અનેક લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેન પણ વિરારથી પહેલા એક પછી એક સાઇડિંગમાં રાખવામાં આવી હતી. આ મુદે જાહેરાત કરવામાં આવતી હતી પણ અનેક ટ્રેનો રદ કરતા હજારો પ્રવાસીઓ રખડી પડ્યાં હતાં.

પ્રાથમિક તબક્કે હાલમાં વસઈ રોડથી દહાણુ રોડ, દહાણુ રોડ વિરાર, વિરારથી દહાણુ રોડ, વિરાર ભાયંદર સહિત અન્ય ટ્રેન રદ કરવામાં આવી છે. ટેકનિકલ ખામી દૂર કરવા માટે રેલવે પ્રશાસન યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

હાલમાં કામગીરી ચાલી રહી છે, જ્યારે up અને down એમ બંને લાઇન અનુક્રમે 10.45 અને 11.45 વાગ્યાના સુમારે શરૂ કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button