આમચી મુંબઈ

પશ્ચિમ ઉપનગરમાં પાણીપુરવઠાને અસર થશે

તાનસા પાઈપલાઈનમાં ભંગાણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણીપુરવઠો કરનારી તાનસા પાઈપલાઈનમાં શુક્રવારે બપોરના ભંગાણ પડતા લાખો લિટર પાણી વેડફાઈ ગયું હતું. પાલિકાના પાણીપુરવઠા વિભાગ દ્વારા પાણીનું ગળતર રોકવા માટે યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જોકે પાઈપલાઈનમાં પડેલા ભંગાણને પગલે દાદરથી અંધેરી સુધીના વિસ્તારના પાણીપુરવઠાને અસર થઈ છે.

પવઈ પરિસરમાં આરે કોલોનીમાં ગૌતમ નગરમાં શુક્રવારે બપોરના પોણા એક વાગ્યાની આસપાસ ૧,૮૦૦ મિ.મી. વ્યાસની મેઈન પાઈપલાઈન ફૂટી ગઈ હતી, તેને કારણે પાઈપલાઈનમાંથી રીતસરનો પાણીનો ફુવારો ઊડતો હોવાનું જણાઈ રહ્યું હતું અને આજુબાજુના વિસ્તારમાં આવેલા રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા.

મેઈન પાઈપલાઈન ફુટવાને કારણે અંધેરી, જોગેશ્ર્વરી, વિલેપાર્લે (પૂર્વ), સાંતાક્રુઝ, બાન્દ્રા, ખાર, બહેરામ પાડા, બાન્દ્રા રેલવે ટર્મિનસ, ધારાવી, દાદર અને માહિમ વિસ્તારના પાણીપુરવઠાને અસર થવાની છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…