આમચી મુંબઈ

હગવણે કેસમાં નામ ઉછળતા ટોચના જેલ અધિકારીને વધારાના ચાર્જમાંથી મુક્તિ…

મુંબઈ: વૈષ્ણવી હગવણે દહેજ ઉત્પીડન-આત્મહત્યા કેસમાં નામ ઉછળતા મહારાષ્ટ્રના વરિષ્ઠ પોલીસ અધિકારી જાલિંદર સુપેકરને ગુરુવારે નાશિક, છત્રપતિ સંભાજીનગર અને નાગપુર વિભાગના જેલના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ તરીકેની વધારાની જવાબદારીઓથી મુક્ત કરવામાં આવ્યા હતા.

સુપેકર પુણેમાં મુખ્ય મથક ધરાવતા મહારાષ્ટ્ર જેલ વિભાગમાં સ્પેશિયલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ છે. તેઓ આ ત્રણ વિભાગોના ડીઆઈજી તરીકે વધારાનો ચાર્જ પણ સંભાળી રહ્યા હતા. મહારાષ્ટ્ર ગૃહ વિભાગના આદેશમાં જણાવાયું છે કે જેલ વિભાગમાં ડીઆઈજીનું પદ ‘મહત્વપૂર્ણ’ અને ‘જવાબદારીઓથી ભરેલું’ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સુપેકરને ‘આ પદોના મહત્વને ધ્યાનમાં રાખીને’ તેમના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે.

એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (અઉૠ) પછી બીજા ક્રમના આઈજી રેન્કના અધિકારીને ત્રણ પદનો વધારાનો ચાર્જ આપવો એ વહીવટી જરૂરિયાતો અનુસાર ‘યોગ્ય’ નહોતું, એમ પણ તેમાં જણાવવામાં આવ્યું હતું. આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નાગપુર વિભાગના જેલના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલનો વધારાનો હવાલો સ્વાતિ સાઠેને સોંપવામાં આવ્યો છે, જે પુણેના ડીઆઈજી જેલ છે. સુપેકર વૈષ્ણવીના પતિ શશાંકના કાકા છે.

આપણ વાંચો : પુત્રવધૂ પાસેથી દહેજની માગણી અને બળદ માટે લાવણીઃ હગવણે પરિવારના કારનામા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button