આમચી મુંબઈ

રામ મંદિરની ટીકા કરનારા ઉદ્ધવ ઠાકરેની ચીડ ચડે છે: મહાજન

મુંબઈ: રાજ્યના પ્રધાન ગિરીશ મહાજને કહ્યું હતું કે રામ મંદિરનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ઉદ્ધવ ઠાકરેની ટીકા કમનસીબ છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. વડા પ્રધાન મોદી પોતે આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. પરંતુ ઉદ્ધવ ઠાકરેના મગજમાં શું ચાલી રહ્યું છે ખબર નહીં, પરતું રામ મંદિર માટે તે સ્થળે રમખાણ કરાવીને ભાજપ પોતાની રોટલી શેકશે એવું નિવેદન કર્યું છે. કેન્દ્ર અને રાજ્યમાં વિકાસની બૂલેટ ટ્રેન ચાલી રહી છે ત્યારે રામ મંદિરના નિર્માણમાં રમખાણોનું કાવતરું દેખાઈ રહ્યું છે. આથી તેમની ચીડ ચડી રહી છે. બીજી તરફ સંજય રાઉત માટે તો કશું બોલવા જેવું જ નથી, એમ પણ મહાજને કહ્યું હતું.

સતત બાલીશ નિવેદનો કરીને ઉદ્ધવ ઠાકરે લોકોની દિશાભૂલ કરી રહ્યા છે. તેમની પાછળ હવે કોઈ બચ્યું ન હોવાથી તેઓ અસ્વસ્થ થઈ ગયા છે, એવી ટિપ્પણી પણ તેમણે કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ