ઉદ્ધવ-સેના હિન્દી ‘લાદવાના’ જીઆરની હોળી કરશે
દક્ષિણ મુંબઈમાં જીઆરની નકલો સળગાવવામાં આવશે ત્યારે ઉદ્ધવ ઠાકરે હાજર રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ તેમના પક્ષના કાર્યકરોને મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા 29 જૂને રાજ્યની શાળાઓમાં હિન્દી ભાષા પરના સરકારી ઠરાવ (જીઆર)ની હોળી કરવાનો આદેશ આપ્યો છે.
દક્ષિણ મુંબઈમાં આ જીઆરની નકલો સળગાવવામાં આવશે ત્યારે ઉદ્ધવ ઠાકરે જાતે હાજર રહેશે, એમ પાર્ટીના વિભાગ પ્રમુખ (વિસ્તાર પ્રમુખ) સંતોષ શિંદેએ શનિવારે જણાવ્યું હતું.
આપણ વાંચો મહારાષ્ટ્રમાં આઈપીએસ અધિકારીઓની બદલી
17 જૂને મહારાષ્ટ્ર સરકારે એક જીઆર જારી કરીને અંગ્રેજી અને મરાઠી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ પહેલા ધોરણથી પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ‘સામાન્ય રીતે’ ત્રીજી ભાષા બનાવવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. આમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હતું કે હિન્દી ફરજિયાત ભાષા નહીં હોય.
સેના (યુબીટી) ત્રિભાષાના ફોર્મ્યુલા અને વિદ્યાર્થીઓ પર હિન્દી ‘લાદવાનો’ વિરોધ કરી રહી છે.