આમચી મુંબઈ

ચાર મિનિટમાં વસૂલી નહીં તો ટોલ ટેક્સ માફ

મુંબઇ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી)ના અધિકાર ક્ષેત્ર હેઠળના કોઈપણ ટોલ બુથમાં જો ચાર મિનિટમાં વસૂલાત કરવામાં નહીં આવે તો વાહનોને ટોલ ટેક્સ વિના છોડવામાં આવશે.

જ્યારે ૩૦૦ મીટર સુધીની પીળી લાઈનની બહારના વાહનોને ટોલટેક્સ વસૂલ્યા વિના મંજૂરી આપવામાં આવશે. આ માટે એમએસઆરડીસીએ પીળી લાઈનનું આયોજન શરૂ કરી દીધું છે, જેથી જલ્દીથી આ નિર્ણય અમલમાં મૂકાશે.

રોડ ટેક્સ કલેક્શન એગ્રીમેન્ટ મુજબ રોડ ટેક્સ ભર્યા વિના કોઈપણ ચેક પોઇન્ટ પર ચાર મિનિટથી વધુ સમય લેતાં વાહનોને ટોલ ટેક્સ ભરવાની છૂટ આપવાની જોગવાઈ છે. ટોલ ટેક્સ ભર્યા વિના, નાકથી અંદાજે ૩૦૦
મીટરના
અંતરે પીળી લાઈનની બહારનાં વાહનોને મંજૂરી આપવાની જોગવાઈ પણ છે. જો કે, રાજ્યના કોઈ પણ ટોલ બુથ પર તેનું પાલન થતું ન હોવાનું સતત આક્ષેપો થઈ રહ્યા છે. હવે રોડ ટેક્સ ટોલ ટેક્સ વસૂલાત સામેના મનસેના આંદોલનને કારણે આ મુદ્દો સામે આવ્યો છે. રાજ ઠાકરેએ જાહેર બાંધકામ વિભાગ મંત્રી દાદા ભૂસે, એમએસઆરડીસી ના અધિકારીઓ અને મનસેના પ્રમુખ રાજ ઠાકરે વચ્ચેની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ચાર મિનિટથી વધુ સમય સુધી લાઇનમાં ઊભાં રહેલાં વાહનોને ટોલટેક્સ માફી આપવામાં આવતા ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ બાબતનો સ્વીકાર કરતા હોય તેની ગંભીર નોંધ લીધી હતી.

આ બેઠકમાં એમએસઆરડીસી દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે હવેથી તમામ ચેક પોઇન્ટ પર આ જોગવાઇવનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Astrology marriage dates warning “Discover the Magic of Morning Chews” Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties”