આમચી મુંબઈ

અંધેરીનો આ સ્વિમિંગ પૂલ હવે ઓળખાશે આ નામથી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ફક્ત ૧૭ મહિનામાં તૈયાર થયેલો કોંડિવિટા અંધેરી (પૂર્વ)નો સ્વિમિંગ પૂલ બે એપ્રિલ, ૨૦૨૪થી નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવવાનો છે. એ અગાઉ તેનું નામકરણ કરવામાં આવ્યું હતું. હવેથી આ પુલ ‘છત્રપતી સંભાજી મહારાજ તરણ તળાવ’ તરીકે ઓળખાશે.

અંધેરી (ર્પૂ)માં કોંડિવિટા પરિસરમાં સ્વિમિંગ પૂલનું સોમવારે, ૧૧ માર્ચ, ૨૦૨૪ના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્વિમિંગ પૂલ માટે છ માર્ચથી મેમ્બરશીપ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે અને બીજી એપ્રિલ, ૨૦૨૪થી તેને નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવવાનું છે.

સ્વિમિંગ પૂલ માટે છ માર્ચ, ૨૦૨૪થી ઑનલાઈન પદ્ધતિએ રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે. વહેલો તે પહેલોના ધોરણે રજિસ્ટ્રેશન ચાલુ છે. બીજી એપ્રિલ, ૨૦૨૪થી આ સ્વિમિંગ પૂલ નાગરિકો માટે ખુલવાનું છે. અત્યાર સુધી લગભગ ૨,૮૦૦ નાગરિકોએ તે માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આ સ્વિમિંગ પૂલ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન https://swimmingpool.mcgm.gov.in વેબસાઈટ પર કરી શકાશે.
અંધેરી (પૂર્વ)માં આવેલા આ સ્વિમિંગ પૂલ કુલ ૩,૧૬૦ ચોરસ મીટર જગ્યામાં બાંધવામાં આવ્યો છે. તેમ જ ૧,૩૦૦ ચોરસ મીટર ક્ષેત્રફળ તળાવ પરિસરમાં ઉદ્યાન બનાવવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો