આમચી મુંબઈમહારાષ્ટ્ર

…તો વાહનચાલકોને ટોલ ટેક્સ ભરવામાંથી મળશે મુક્તિ

મુંબઇ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC)ના અધિકાર ક્ષેત્ર હેઠળના કોઈ પણ ટોલ બુથમાં જો ચાર મિનિટમાં ટોલ ટેક્સની વસૂલાત કરવામાં નહીં આવે તો વાહનોને ટોલ ટેક્સ વિના છોડવામાં આવશે.

જ્યારે 300 મીટર સુધીની પીળી લાઈનની બહારના વાહનોને ટોલટેક્સ વસૂલ્યા વિના મંજૂરી આપવામાં આવશે. આ માટે MSRDCએ પીળી લાઈનનું આયોજન શરૂ કરી દીધું છે, જેથી જલ્દીથી આ નિર્ણય અમુલ શરૂ થશે અને નાગરિક અને મોટી રાહત મળશે.

રોડ ટેક્સ કલેક્શન એગ્રીમેન્ટ મુજબ રોડ ટેક્સ ભર્યા વિના કોઈ પણ ચેક પોઇન્ટ પર ચાર મિનિટથી વધુ સમય લેતા વાહનોને ટોલ ટેક્સ ભરવાની છૂટ આપવાની જોગવાઈ છે. ટોલ ટેક્સ ભર્યા વિના, નાકથી અંદાજે 300 મીટરના અંતરે પીળી લાઈનની બહારના વાહનોને મંજૂરી આપવાની જોગવાઈ પણ છે.

રાજ્યના કોઈ પણ ટોલ બુથ પર તેનું પાલન થતું ન હોવાનું સતત આક્ષેપો થઈ રહ્યા છે. હવે રોડ ટેક્સ ટોલ ટેક્સ વસુલાત સામેના મનસે (મહારાષ્ટ્ર નવર્નિમાણ સેના)ના આંદોલનને કારણે આ મુદ્દો સામે આવ્યો છે. રાજ ઠાકરેએ જાહેર બાંધકામ વિભાગ પ્રધાન દાદા ભૂસે, એમએસઆરડીસીના અધિકારીઓ અને મનસેના પ્રમુખ રાજ ઠાકરે વચ્ચેની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

તેમણે ચાર મિનિટથી વધુ સમય સુધી લાઇનમાં ઊભા રહેલા વાહનોને ટોલટેક્સ માફી આપવામાં આવતા ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ બાબતનો સ્વીકાર કરતા હોય તેની ગંભીર નોંધ લીધી હતી. આ બેઠકમાં એમએસઆરડીસી દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે હવેથી તમામ ચેક પોઇન્ટ પર આ જોગવાઇવનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત