આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઠાકરે જૂથે પક્ષાંતર અને શિંદે જૂથે હિંદુત્વના મુદ્દા ઉઠાવ્યા ટીઝરમાં

મુંબઈ: રેલીની તૈયારી માટે ઠાકરે જૂથ દ્વારા કેટલીક વિડીયો ક્લીપ વહેતી કરાઈ છે, જેમાં બાળ ઠાકરેના ભાષણો છે, જેમાં પક્ષાંતર કરનારા લોકો અંગેના બાળ ઠાકરેના મતનો સમાવેશ થાય છે. શિવસેનાના ઉબાઠાના કાર્યકર્તાઓ દ્વારા આ ક્લિપ વહેતી કરાઈ રહી છે.

બીજી તરફ શિંદે જૂથ દ્વારા પોતાની રેલી માટે એક ટીઝર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં બાળ ઠાકરે દ્વારા હિંદુત્વના મુદ્દે આપવામાં આવેલા કટ્ટર નિવેદનોનો સમાવેશ થાય છે.

એક તરફ ઉદ્ધવ ઠાકરે જૂથ શિંદે જૂથનો ઉલ્લેખ સતત ગદ્દાર તરીકે કરી રહ્યા છે ત્યારે બીજી તરફ શિંદે જૂથ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને ભાજપ સાથેનું જોડાણ તોડીને કૉંગ્રેસ- એનસીપી સાથે હિંદુત્વને પડતું મૂકીને સરકાર બનાવી હતી.

સંબંધિત લેખો

Back to top button