આમચી મુંબઈમહારાષ્ટ્ર

એસી લોકલ પર પથ્થર મારાનારા અંતે પકડાયા

થાણે: મધ્ય રેલવેમાં તાજેતરમાં એસી લોકલ પર પથ્થર મારવાના હિંસક બનાવમાં બે જણની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ટ્રેનમાં મુસાફરી કરનારાની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ ઊભા થયા છે. મધ્ય રેલવેમાં ટિટવાલાથી સીએસએમટી જતી એસી લોકલ ટ્રેન પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી હતી. આ પથ્થરમારાને લીધે ગુરુવારે એક મહિલા પ્રવાસીને ઇજા થઈ હતી. આ મામલે રેલ્વે પોલીસે બે લોકોની ધરપકડ કરવામાં કરી હતી

એસી લોકલ ટ્રેન ટિટવાલાથી સીએસએમટી જઈ રહી હતી, ત્યારે સવારે પીક અવર્સ દરમિયાન ઠાકુર્લી અને ડોમ્બિવલી વચ્ચે ટ્રેન પર કોઈ અજાણી વ્યક્તિએ પથ્થર માર્યો હતો. જેને લીધે ટ્રેનની બારીને નુકસાન પહોંચ્યું હતું. એટલું જ નહીં, લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી ૨૮ વર્ષની મહિલા જખમી થઈ હતી, એમ જીઆરપીના એક અધિકારીએ જણાવ્યું હતું.

આ ઘટનાની તપાસ કરવા માટે જીઆરપીએ આ રેલવે પરિસરના વિસ્તારમાં લગાડેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી અને બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…