આમચી મુંબઈ

બે સગીરાને દેહવ્યાપારમાં ધકેલવા બદલ મહિલાને 14 વર્ષની જેલ

થાણે: થાણેની વિશેષ અદાલતે બે સગીરાને દેહવ્યાપારમાં ધકેલવા બદલ 40 વર્ષની મહિલાને 14 વર્ષની સખત કેદ ફટકારી હતી.

વિશેષ પોક્સો એક્ટ જજ ડી.એસ.એ. દેશમુખે 30 મેના રોજ આપેલા આદેશમાં મહિલાને સજા ઉપરાંત 14 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

વિશેષ સરકારી વકીલ રેખા હિવરાળેએ જણાવ્યું હતું કે કેસની સુનાવણી દરમિયાન સાત સાક્ષીની જુબાની નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો: દેહવ્યાપાર ચલાવવા બદલ કવ્વાલી ગાયિકાની ધરપકડ

ગોરેગામ વિસ્તારમાં રહેતી મહિલાને 5 એપ્રિલ, 2021ના રોજ થાણેના વાગલે એસ્ટેટ વિસ્તારમાં પાસપોર્ટ ઓફિસ નજીક હોટેલમાંથી બે સગીરા સાથે તાબામાં લેવાઇ હતી.

કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે મહિલાની પુત્રી અને એક સગીરા બંને બહેનપણી હતી. ગરીબ પરિવારમાંથી આવતી સગીરાને મહિલાએ કહ્યું હતું કે દેહવ્યાપાર દ્વારા તેને સારા પૈસા મળશે. બાદમાં મહિલા તેને ગ્રાહકો પાસે મોકલવા લાગી હતી. બીજી સગીરાએ આ વાતને સમર્થન આપ્યું હતું.

ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં જજે જણાવ્યું હતું કે આ આરોપી પ્રત્યે દયા દાખવવાનો કેસ નથી. કોર્ટે બાદમાં આરોપીને 14 વર્ષની સજા ફટકારી હતી.

(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button