આમચી મુંબઈ

78 રોકાણકારો સાથે 3.7 કરોડની ઠગાઈ: કંપનીના ભાગીદારો સહિત આઠ સામે ગુનો

થાણે: થાણે જિલ્લામાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે 78 રોકાણકારો સાથે 3.7 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ કંપનીના ભાગીદારો અને કર્મચારીઓ સહિત સહિત આઠ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતા.

ડોંબિવલી વિસ્તારમાં કંપનીએ કેટલાંક વર્ષ અગાઉ પોતાની ઓફિસ ખોલી હતી અને આકર્ષક વળતરનું વચન આપતી વિવિધ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સનું માર્કેટિંગ શરૂ કર્યું હતું.

આરોપીઓમાં કંપનીના ભાગીદારો અને કર્મચારીઓનો સમાવેશ હોઇ તેમણે આકર્ષક વળતરની લાલચ આપીને લોકોને રોકાણ કરવા માટે મનાવ્યા હતા.

આ પણ વાંચો: ઘર ખરીદદારો સાથે ઠગાઈ: ઈડીએ બિલ્ડરની મિલકતોને ટાંચ મારી

આરોપીઓએ રોકાણકારોને સર્ટિફિકેટ્સ આપ્યા હતા. આકર્ષક વળતરનું વચન આપીને તેમની પાસેથી રૂપિયા સ્વીકાર્યા હતા. જોકે ભંડોળ સ્વીકાર્યા બાદ આરોપીઓ વળતર આપવામાં નિષ્ફળ ગયા હતા અને રોકાણકારોની મૂળ રકમ પણ તેમણે પાછી કરી નહોતી.

દરમિયાન 78 રોકાણકારોમાંથી એક જણે પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુરુવારે આઠ આરોપી વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો: ભુજમાં ‘સસ્તું સોનું’ અપાવવાના બહાને મધ્યપ્રદેશના નગરસેવક લૂંટાયા: 2.30 લાખની ઠગાઈ

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અમે કેસની તપાસ કરી રહ્યા છીએ અને આ કેસમાં હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. જોકે તમામ આરોપીને ઓળખી કાઢવામાં આવ્યા છે. અમે નાણાકીય હિસાબ તપાસી રહ્યા છીએ. પ્રાથમિક તપાસ પૂરી થયા બાદ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 11/7 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button