થાણેમાં ગણેશભક્તોને વિસર્જન માટે ‘ઈકો વિસર્જન’ ઍપ પર રજિસ્ટ્રેશન કરવાની અપીલ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

થાણેમાં ગણેશભક્તોને વિસર્જન માટે ‘ઈકો વિસર્જન’ ઍપ પર રજિસ્ટ્રેશન કરવાની અપીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
મુંબઈ હાઈ કોર્ટના આદેશ મુજબ છ ફૂટ સુધીની તમામ ગણેશમૂર્તિના વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવામાં આવવાના છે, તે માટે થાણેમાં પાલિકાએ કૃત્રિમ તળાવ અને ફરતા વિસર્જનની વ્યવસ્થામાં વધારો કર્યો છે.

એ સાથે જ તમામ વ્યવસ્થાની માહિતી માટે ‘ઈકો વિસર્જન’ઍપ તૈયાર કરવામાં આવી છે, જેમાં નાગરિકોને તેના પર રજિસ્ટ્રેશન કરવાની અપીલ થાણે પાલિકા દ્વારા કરવામાં આવી છે.

આપણ વાંચો: ગણેશમૂર્તિના વિસર્જન માટે કૃત્રિમ તળાવોની સંખ્યા વધારાશે…

‘ઈકો વિસર્જન ઍપ’ને કારણે નાગરિકોને તેમના નજીકમાં વિસર્જન માટે કયાં વ્યવસ્થા કરવામાં આવી છે, તેની માહિતી મળશે. તેમ જ થાણે પલિકાએ ફરતા વિસર્જન માટે કરેલી વ્યવસ્થા બાબતે પણ તમામ માહિતી મળશે. https://ecovisrjan.com/ આ ઍપની લિંક હોઈ તેના પર ક્યૂઆર કોડ પણ છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button