આમચી મુંબઈ

મહારાષ્ટ્રના સુનિલ તટકરેના સંબંધીનું નિધન

મુંબઈઃ મહારાષ્ટ્ર એનસીપીના વડા સુનિલ તટકરેએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સવાર વરિષ્ઠ ક્રૂ સભ્ય અપર્ણા મહાડિક તેમના સંબંધી છે.

રાયગઢના સાંસદ તટકરેએ ગુરુવારે પીટીઆઈને જણાવ્યું હતું કે,”અપર્ણા મહાડિક મારી નાની બહેનની પુત્રવધૂ છે. તેમનો પરિવાર મુંબઈના ગોરેગાંવમાં રહે છે. મારો ભત્રીજો – અપર્ણાનો પતિ પણ એર ઈન્ડિયાનો કેબિન ક્રૂ છે. દુર્ઘટના સમયે તે દિલ્હીમાં હતો. મહાડિક પરિવારને આ દુર્ઘટના વિશે જાણ કરવામાં આવી છે,” તેમણે કહ્યું.

આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: લંડનથી ભારત શિફ્ટ થવા આવેલી નર્સ રંજીતાનું કરુણ મૃત્યુ

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી જ દુર્ઘટનાગ્રસ્ત થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ ૧૭૧ માં અપર્ણા મહાડિક (૪૨) સવાર હતી. બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનરમાં ૨૪૨ લોકો મુસાફરી કરી રહ્યા હતા.

એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, ૨૩૦ મુસાફરોમાંથી ૧૬૯ ભારતીય, ૫૩ બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન હતો. અન્ય ૧૨ લોકોમાં બે પાઇલટ અને ૧૦ ક્રૂ સભ્યો હતા.
પીટીઆઈ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button