ઘોડબંદર રોડ પર અવરજવર કરનારા ભારે વાહનો માટે આવી મોટી એલર્ટ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ઘોડબંદર રોડ પર અવરજવર કરનારા ભારે વાહનો માટે આવી મોટી એલર્ટ

થાણે: ઘોડબંદરમાં આનંદનગર અને કાસરવડવલી વચ્ચે મેટ્રો લાઇનના નિર્માણ માટે ગર્ડરો નાખવામાં આવી રહ્યા છે. આ માટે થાણે ટ્રાફિક પોલીસે ૨૮ નવેમ્બર સુધી ઘોડબંદર માર્ગ પર ભારે વાહનો માટે મધ્યરાત્રિના પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો છે. અહીંના વાહનો કપૂરબાવાડીથી ભિવંડી થઈને વસઈ વિરાર, ગુજરાત તરફ જઈ શકશે. તેથી વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક જામ થવાની સંભાવના છે.

ઉરણ, ભિવંડી ખાતેના જેએનપીટી બંદરેથી હજારો ભારે વાહનો ખોડબંદર થઈને વસઈ, વિરાર અને ગુજરાતના વેરહાઉસમાં જાય છે. ભારે વાહનોને બપોરે ૧૨ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી અને ૧૧ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી થાણે શહેરમાં પ્રવેશવાની છૂટ છે. તેથી, ઘોડબંદર રોડ પર મધ્યરાત્રિ દરમિયાન ભારે ટ્રાફિક રહે છે.

ઘોડબંદર રૂટ પર મેટ્રો ફોર (વડલા-ઘાટકોપર-કાસરવડવલી) રૂટનું કામ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યું છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ માર્ગ પર ‘U’ આકારના ગર્ડરનું બાંધકામ શરૂ કર્યું છે. આ કામગીરી માટે ટ્રાફિક પોલીસે અડધી રાત્રે ઘોડબંદર રોડ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. આ ટ્રાફિક ફેરફારને કારણે મધ્યરાત્રિએ ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે, જેમાં આ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યા છે.

  • મુંબઈ, થાણેથી ઘોડબંદર તરફ જતા ભારે વાહનોનો પ્રવેશ કપૂરબાવડી ચોકમાં પ્રતિબંધિત છે. અહીં વાહનો મજીવાડાથી ખારેગાંવ ટોલ નાકા, માનકોલી, અંજુરફાટા અથવા કશેલી, અંજુરફાટા થઈને ઉપડશે.
  • ખારેગાંવ ટોલ રોડ પર મુંબ્રા, કાલવાથી ઘોડબંદર તરફ જતા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. અહીંથી વાહનો ગેમોન, ખારેગાંવ ખાદી, અંજુરફાટા થઈને જશે.
  • નાસિકથી ઘોડબંદર તરફ જતા ભારે વાહનોના પ્રવેશ પર મનકોલી નાકા પર પ્રતિબંધ છે. અહીંથી વાહનો અંજુરફાટા થઈને માનકોલી બ્રિજ નીચેથી પસાર થશે.

Back to top button