મંત્રાલયથી વિધાનભવનના સબ-વે નિર્માણનું ૨૫ ટકા કામકાજ પૂર્ણ, કોને થશે ફાયદો?

મુંબઈઃ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે બની રહેલા વિધાનસભા ભવન મેટ્રો સ્ટેશન સાથે મંત્રાલયને જોડતા અંડરગ્રાઉન્ડ સબ-વેનું કામ ૨૫ ટકા પૂર્ણ થઈ ગયું છે. તેનો ઉદ્દેશ્ય મુખ્ય વહીવટી ઇમારતો વચ્ચે સરકારી કર્મચારીઓ માટે સરળ હિલચાલની સુવિધા આપવાનો છે. ૨૦૨૫માં સબ-વે કાર્યરત થવાની સંભાવના છે.
હાલમાં બધું સીકન્ટ પાઈલ વર્ક પૂર્ણ થઈ ગયું છે. મેડમ કામા રોડની નીચે ખોદકામ અને બેઝ આરસીસી સ્લેબનું કામ હાલમાં પ્રગતિમાં છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ૯૯.૮૦ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથેનું બાંધકામ રાજ્ય સચિવાલય અને વિધાન ભવનના ઉચ્ચ સુરક્ષા ઝોનમાં કરવામાં આવી રહ્યું છે. પ્રસ્તાવિત ૩૦૬ મીટરનો સબ-વે મંત્રાલય, નવી વહીવટી ઇમારત અને વિધાનસભા ભવન મેટ્રો સ્ટેશન વચ્ચે સીધા ભૂગર્ભનું જોડાણ કરશે.
આપણ વાંચો: …તો આ દિવસથી દોડશે મુંબઈ મેટ્રો-3ઃ જાણો એક્વાલાઈન વિશે મહત્વના અપડેટ્સ
સબ-વે સરકારી કર્મચારીઓ માટે રહેશે સુરક્ષિત
પ્રોજેક્ટ પ્લાનમાં દર્શાવ્યા મુજબ, સબ-વેમાં માત્ર સરકારી કર્મચારીઓ માટે આરક્ષિત માર્ગ હશે, જેનાથી તેઓ ઈમારતો વચ્ચે સરળતાથી જઈ શકશે. વધુમાં, આ ઓફિસોની મુલાકાત લેતા સામાન્ય લોકો માટે એક અલગ પેસેજ બનાવવામાં આવશે, જેનાથી તેઓ નજીકના મેટ્રો-૩ સ્ટેશન સુધી સરળતાથી પહોંચી શકશે.